કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે મહારાષ્ટ્ર,યુપી અને દિલ્હી સહિત 10 રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે 74.15 ટકા કેસો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યાં
10 રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે 74.15 ટકા કેસો
12 રાજ્યોમાં સંક્રમણના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે
સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા
મંત્રાલયે જણાવ્યું કે મહારાષ્ટ્ર, યુપી,દિલ્હી,કર્ણાટક, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ,રાજસ્થાન,બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં સંક્રમણના દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ
સતત ત્રીજા દિવસે 3 લાખથી વધારે કેસ આવ્યા છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર શુક્રવારે રાતે 12 વાગે 24 કલાકમાં ભારતમાં 345, 147 નવા કેસ આવ્યા છે. ત્યારે આ દરમિયાન રેકોર્ડ બ્રેક 2621 કોરોનાના દર્દીના મોત થયા છે. સતત 8 દિવસોથી કોરોનાના દર્દીના મોતની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે.
દેશમાં મરનારાની કુલ સંખ્યા વધીને 1, 89, 549 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,66,02,456 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસના દર્દીઓની સંખ્યા 25,43,914 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યાના 15.3 ટકા છે. આ પહેલા ગુરુવારે રાત સુધીમાં કોરોનાથી 3.32 લાખ નવા કેસ આવ્યા હતા. આ દરમિયાન 2250થી વધારે લોકોના મોત થયા ગતા. આ રીતે ભારતમાં દુનિયાભરમાં કોરોનાના મામલામાં રેકોર્ડ તુટ્યો છે. અમેરિકા પણ ડેલી કેસ મામલામાં ભારતથી પાછળ છુટી ગયો છે જે દેશ માટે ચિંતાનો વિષય છે.
સાજા થનારાનો દર સાડા 83 ટકા થયો છે
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર ઘટીને 83.5 ટકા રહી ગયો છે. આંકડાના જણાવ્યાનુસાર આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,38,62,119 થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
8 રાજ્યોમાં 77 ટકા મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધારે મોત 773 મહારાષ્ટ્રમાં થઈ. આ બાદ દિલ્હીમાં 348, છત્તીસગઢમાં 219, ઉત્તર પ્રદેશમાં 196, ગુજરાતમાં 142, કર્ણાટકામાં 190, પંજાબમાં 75 અને મધ્ય પ્રદેશમાં 74 લોકોના મોત થયા હતા. આ 8 રાજ્યોમાં કુલ 2017 મોત થયા છે. જે કુલ 2620 મોતના 76.98 ટકા છે.