સ્ત્રીઓની મદદ માટે જેમ રાષ્ટ્રીય મહિલા પંચ છે તેવું પુરુષોની મદદ માટે રાષ્ટ્રીય પુરુષ પંચ પણ બને તે માટે સુપ્રીમના વકીલે કમર કસી છે.
પરણેલા પુરુષોની આત્મહત્યા ન જોવાઈ સુપ્રીમના વકીલથી
મામલો લઈને પહોંચ્યાં સુપ્રીમમાં
કહ્યું, સ્ત્રીઓની જેમ પુરુષ રાષ્ટ્રીય પંચ બનાવો
માત્ર મહિલાઓ જ નહીં, પરણિત પુરુષો પણ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. આ મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે હવે ફરી એકવાર આ મુદ્દો જોરજોરથી ઉઠ્યો છે અને મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે.
પુરુષો માટે રાષ્ટ્રીય પુરુષ આયોગની રચનાની માંગ
સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ મહેશકુમાર તિવારીએ એક અરજી દાખલ કરી છે, જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જેમ દેશમાં પુરુષો માટે 'પુરુષો માટે રાષ્ટ્રીય આયોગ'ની રચનાની માંગ કરવામાં આવી છે. આનાથી પીડિત પુરુષો, ખાસ કરીને ઘરેલુ હિંસાનો ભોગ બનેલા પરિણીત પુરુષોને પોતાને માટે ન્યાય મેળવવામાં મદદ મળશે અને આવા પુરુષોની આત્મહત્યાની સંખ્યા ઓછી થશે, એમ અરજીમાં જણાવાયું હતું. અરજદારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેઓ તેમની આ માગણી પર વહેલી તકે વિચારણા કરે અને કેન્દ્ર સરકારને આ પ્રકારનું કમિશન રચવાનો નિર્દેશ આપે.
મહિલાઓ કરતા પુરુષોમાં આત્મહત્યાનું વધારે પ્રમાણ
તિવારીએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રિપોર્ટ દ્વારા સાબિત કરવાની કોશિશ કરી છે કે પુરુષો પણ ઉત્પીડનનો શિકાર બને છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં મહિલાઓ કરતા વધારે પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ 2021માં દેશભરમાં આત્મહત્યાના 1,64,033 કેસ નોંધાયા હતા, જેમાંથી 1,18,979 કેસ પુરુષો સાથે સંબંધિત હતા અને 45,026 કેસ મહિલાઓની આત્મહત્યા સાથે સંબંધિત હતા.
આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા કુંવારા કરતાં 3 ગણી વધારે
એડવોકેટ તિવારીએ ડેટા ટાંકીને એવો પણ દાવો કર્યો છે કે દેશમાં આત્મહત્યા કરનારા પરિણીત લોકોની સંખ્યા કુંવારા કરતા લગભગ ત્રણ ગણી વધારે છે. માહિતી અનુસાર આત્મહત્યા કરનારા 3,1,180 પુરુષોમાંથી 979,81 પરિણીત હતા, જ્યારે બાકીના પુરુષો કુંવારા અથવા વિધુર હતા. તેની સામે આત્મહત્યા કરનારી 063,45 મહિલાઓમાંથી લગ્ન કરનારાની સંખ્યા 026,28 હતી.