કેન્દ્ર સરકાર કોવિડ 19ના કારણે પોતાના માતા પિતા ગુમાવનાર બાળકોને 2 હજારની જગ્યાએ દર મહિને 4 હજાર આપશે.
માતાપિતા ગુમાવનાર બાળકોને સરકાર દર મહિને 2 નહીં 4 હજારની મદદ કરશે
આ બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ આપવામાં આવશે
90,751 બાળકોએ પોતાના પિતાને અને 12 બાળકોએ માતા-પિતાને ગુમાવી દીધા
માતાપિતા ગુમાવનાર બાળકોને સરકાર દર મહિને 2 નહીં 4 હજારની મદદ કરશે
કેન્દ્ર સરકાર કોવિડ 19ના કારણે પોતાના માતા પિતા ગુમાવનાર બાળકોને આપવામાં આવનારી નાણાકીય મદદને 2 હજારથી વધારેને 4 હજાર કરવાની યોજના બનાવી રહી છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપત કહ્યું કે આ સંબંધમાં એક પ્રસ્તાવ આવતા કેટલાક અઠવાડિયામાં મંજૂરી માટે કેબિનેટની પાસે જઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રસ્તાવ આપ્યો છે કે મહામારીથી પોતાન માતા-પિતાને ગુમાવનારા બાળકોને આપવામાં આવનારી માસિક મદદ 2 હજાર રુપિયાથી વધારીને 4 હજાર રુપિયા કરવામાં આવી છે.
આ બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે સરકારે મેમાં જાહેરાત કરી હતી કે જે બાળકોએ માતા-પિતા અથવા કાયદેસર દત્તક લેનારા માતા પિતાનું કોરોનાને લીધે મોત થયું છે. તેમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ આપવામાં આવશે. મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી આ યોજના હેઠળ પ્રાપ્ત 3250 અરજીમાંથી કુલ 667ને સંબોધિત જિલ્લાધિકારીઓ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આંકડા હેઠળ પણ એ પણ ખબર પડી છે કે અત્યાર સુધી 467 જિલ્લામાંથી અરજી પ્રાપ્ત થઈ છે.
90,751 બાળકોએ પોતાના પિતાને અને 12 બાળકોએ માતા-પિતાને ગુમાવી દીધા
એક રિપોર્ટ અનુસાર કોરોના વાયરસની મહામારી પહેલા 14 મહિના દરમિયાન ભારતના 1,19,000 બાળકો સહિત 21 દેશોમાં 15 લાખથી વધારે બાળકોના સંક્રમણના કારણે પોતાના માતા-પિતા અથવા તેમના ગાર્ડિયનને ગુમાવી દેવામાં આવશે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓન ડ્રગ એબ્યૂજ (NIDA) અને નેશનલ ઈસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં 25, 500 બાળકોના કોરોનાનું કારણ પોતાની માને ગુમાવી દિધા ત્યારે 90,751 બાળકોએ પોતાના પિતાને અને 12 બાળકોએ માતા-પિતાને ગુમાવી દીધા છે.
11, 34,000 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા
આ અધ્યયનના વિવરણ અનુસાર દુનિયાભરમાં 11, 34,000 બાળકોએ પોતાના માતા પિતા અથવા ગાર્ડિયન દાદા-દાદી કે નાના -નાનીને કોરોનાને લીધે ગુમાવી દીધા છે. જેમાંથી 10,42,000 બાળકોએ પોતાના મા પિતા બન્નેને ગુમાવી દીધા છે. મોટાભાગના બાળકોના માતા પિતામાંથી કોઈ એકને ગુમાવી દીધી છે. એઆઈએચે એક મીડિયા વિજ્ઞપ્તિમાં કહ્યું કે કુલ મળીને 15,62,000 બાળકોએ માતા પિતામાંથી ઓછામાં ઓછા એક અથવા દેખરેખ કરનારા લોકોમાંથી કોઈ એકને અથવા પોતાની સાથે રહીને દાદા-દાદી , નાના- નાની ને ગુમાલી દીધા છે.