દિલ્હીમાં 30 માર્ચ બાદ પહેલી વાર છેલ્લા ચોવીસ કલાકમાં ફક્ત 1649 નવા કેસ નોંધાતા કોરોનાના કેર લગભગ પૂરો થયો છે.
દિલ્હીમાં કોરોનાના વળતા પાણી
છેલ્લા ચોવીસ કલાકમાં ફક્ત 1649 કેસો
30 માર્ચ પહેલા નોંધાતા હતા આટલા ઓછા કેસો
દિલ્હીમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યાં છે. છેલ્લા ચોવીસ કલાકમાં 189 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુલેટિનમાં જણાવાયું કે દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત 1649 કેસો નોંધાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં 5158 લોકો કોરોનાથી સાજા થયા છે. કુલ 68, 043 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ફક્ત 1649 લોકો કોરોના પોઝિટીવ નીકળ્યાં.
દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયું લંબાવાયું
દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના 3 લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં દેશની રાજધાની દિલ્હીની હાલત વધારે ગંભીર છે. વધતા કોરોના કેસના પગલે દિલ્હીમાં પાછલા 1 મહિનાથી પણ વધારે સમથી લાકડાઉન લગાવવામાં આવ્યું છે. જે હજુ પણ 31મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન 31મી મે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ ઉપરાંત સીએમ કેજરીવાલે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં આ રીતે જ ઘટાડો જોવા મળ્યો તો અમે 31મી મેથી તબક્કાવાર દિલ્હીમાં અનલોક કરવાનું શરૂ કરવામાં આવશે. કોરોના વેક્સિનેસન વિષે વાત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવી સંભાવના છે કે જો દરેક વ્યક્તિને રસી આપવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરને કોરી શકાશે.