દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડૉક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિલ્હીની જાણીતી હોસ્પિટલ છે સર ગંગારામ હોસ્પિટલ
37 ડોકટરોનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે
કોરોના સામેની લડાઈમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે
હાલમાં કુલ 32 ડોકટરો કવોરંટાઈનમાં છે અને બાકીના 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સર ગંગારામ હોસ્પિટલે છેલ્લા એક વર્ષથી રોગચાળા દરમિયાન કોવિડ -19 ની સારવારમાં અગ્રેસરની ભૂમિકા નિભાવી છે.
દિલ્હીમાં સતત વકરી રહ્યો છે કોરોના
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. દિલ્હી સરકારના તમામ પ્રયાસો છતાં, આ રોગચાળો ઝડપથી લોકોને તેના સંકજામાં લઈ રહ્યો છે. કોવિડ -19 ની વર્તમાન લહેર વચ્ચે, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં 37 ડોકટરોને ચેપ લાગ્યો છે અને તેમાંથી 5 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારો થયો છે અને પહેલીવાર 7,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં કોવિડ -19ની લહેરમાં 37 ડોકટરોને સંક્રમણની પુષ્ટિ થઈ છે. "હોસ્પિટલમાં કોવિડ -19 દર્દીઓની સારવાર કરતી વખતે 37 ડોકટરોને ચેપ લાગ્યો છે," સર ગંગા રામ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. આમાંના મોટાભાગના ડોકટરોમાં કોરોનાનાં હળવા લક્ષણો છે. કુલ 32 ડોકટરો ક્વોરન્ટાઇનમાં છે અને બાકીના 5 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. "છેલ્લા એક વર્ષથી રોગચાળા દરમિયાન કોગિડ -19 ની સારવારમાં સર ગંગારામ હોસ્પિટલે અગ્રણી ભૂમિકા નિભાવી છે.
આજે દિલ્હીમાં 7437 નવા કેસ
દિલ્હી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7437 લોકોને કોરોનામાં ચેપ લાગ્યો છે અને 24 લોકોનાં મોત નીપજ્યાં છે. બુધવારે 5506 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 698008 લોકોને ચેપ લાગ્યો છે અને 11157 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 698005 લોકોને ચેપ લાગ્યો છે અને 11157 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં શહેરમાં 23181 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં 4226 કન્ટેઇન્મેન્ટ ઝોન છે. કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
10 એપ્રિલથી એઇમ્સની અર્જન્ટ સર્જરી કરવામાં આવશે
દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને શનિવારથી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના વિવિધ ઓપરેશન થિયેટરોમાં ફક્ત અર્જન્ટ સર્જરી કરવામાં આવશે. એઈમ્સ કહે છે કે કોવિડ -19 ના નિયંત્રણ અને નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.