હવે દેશમાં એક તહેવાર એક જ તારીખે આવશે. તેના માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. કેન્દ્ર સરકારની પહેલ પર હવે એક નેશનલ કેલેન્ડર તૈયાર કરવામાં આવશે.
અંગ્રેજોના કેલેન્ડરમાંથી મુક્તિ અપાવશે મોદી સરકાર
ભારતીય કેલેન્ડર આવશે
એક તહેવાર અલગ અલગ તારીખે નહીં આવે
મોટા ભાગે એક જ તહેવાર, તારીખ અલગ અલગ જગ્યા પર અલગ અલગ તારીખે મનવામાં આવે છે. તેની પાછળ કારણ અલગ અલગ પંચાગોમાં આપવામાં આવેલી તારીખો હોય છે. પણ હવે આ સમસ્યાથી છૂટકારો મળી જશે. હવે દેશમાં એક તહેવાર એક જ તારીખે આવશે. તેના માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. કેન્દ્ર સરકારની પહેલ પર હવે એક નેશનલ કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. જેમાં દરેક તહેવારને મનાવાની એક તારીખ હશે. આ ઉપરાંત આ શરૂઆતથી અંગ્રેજી કેલેન્ડરની જગ્યાએ ભારતીય કેલેન્ડરને માન્યતા મળશે.
તેના માટે દેશભરના 300 વિદ્રાન 2 દિવસ સુધી ઉજ્જૈનમાં મંથન કરશે, તેના માટે અલગ અલગ પંથકોમાંથી પંચાગોના કારણ વ્રત-તહેવાર, તિથિ વગેરેને લઈને ઉભા થતાં ભેદ સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તહેવારોની અલગ અલગ તારીખોના કારણે અલગ અલગ રાજ્યોમાં સરકારી રજાઓની તારીખો પણ અલગ અલગ રેહ છે. જેનાથી ઘણી બધી સમસ્યાઓ આવે છે.
સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ પર શરૂઆત
દેશની આઝાદીના 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારે ભારતીય કેલેન્ડરને માન્યતા આપી છે. જે અંતર્ગત ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડરને લઈને વિક્રમ વિશ્વવિદ્યાલયમાં 22-23 એપ્રિલે 2 દિવસ સુધઈ દેશભરના વિદ્વાનોની રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પંચાગોનું પ્રદર્શન આયોજીત કરવામા આવશે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર તેમાં કેન્દ્રીય સંસકૃતિ મંત્રાલય, કેન્દ્રીય વિજ્ઞાન પ્રૌદ્યોગિકી વિભાગ, વિજ્ઞાન પ્રસાર, ભારતીય તારા ભૌતિકી સંસ્થા, ખગળો વિજ્ઞાન કેન્દ્ર, ધારા, મપ્ર વિજ્ઞાન પ્રૌદ્યોગિકી પરિષદ, વિક્રમ વિશ્વવિદ્યાલય તથા પાણિની સંસ્કૃત વિવિ ઉજ્જૈન વગેરે ભાગ લઈ રહ્યા છે.
આ અગાઉ 1952માં દેશમાં યુનિફોર્મ કેલેન્ડર માટે કેલેન્ડર રિફોર્મ કમિટી બનાવામાં આવી હતી. પણ બાદમાં મામલો આગળ વધી શક્યો નહોતો. હાલામં જ કેન્દ્ર સરકારે ફરીથઈ તેની શરૂઆત કરી છે.
આટલા માટે ઉજ્જૈનની પસંદગી કરી
ઉજ્જૈન કાલહણનાનું પ્રાચિન કેન્દ્ર રહ્યું છે, અહીંના કાલગણનાને જ સમગ્ર વિશ્વમાં માન્યતા હતી. આ ઉપરાંત ઉજ્જૈન કર્ક રેખા પર આવેલું છે, જેનાથઈ અહીં પર સમયની ગણતરી સૌથી વધારે શુદ્ધ સટીક હોય છે. જેને લઈને ઉ્જજૈનના રાજા જયસિંહે વેધશાળાની સ્થાપના કરી હતી.