દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરના પગલે દેશમાં મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત વધી છે. ભારતીય વાયુસેના કટોકટીની આ સ્થિતિમાં મદદ કરવા મેદાને પડી છે.
કોરોના સમયમાં વાયુસેનાની પ્રશંસનીય કામગીરી
મોદી સરકારે વાયુસેનાની મદદ લીધી, કરી રહી છે ઓક્સિજન સપ્લાયમાં મદદ
સી 17 અને આઈએલ જેવા વિમાનોના કાફલાનો થઈ રહ્યો છે ઉપયોગ
મહત્વનું છે કે હાલમાં ઓક્સિજનની દેશભરમાં અછત વર્તાઇ રહી છે, દેશના અનેક શહેરો અને રાજ્યોમાં હાલમાં મેડિકલ સામગ્રી એનએ સપ્લાયની ઘણી ઉણપ દેખાઈ રહી છે, ઓક્સિજનની અછત, આઇસીયુ બેડ, રેમિડેસીવીર જેવા ઇન્જેકશન અને હોસ્પિટલમાં બેડ વગેરે સામગ્રીનો અભાવ વર્તાઇ રહ્યો છે, દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે, ઘણી જગ્યાએ તો હોસ્પિટલમાં બેડ ન મળવાથી અથવા સમયસર દવા કે ઓક્સિજન ન મળવાથી લોકોના મોત થઈ રહ્યા[ હોવાના પણ અહેવાલ છે, આ સ્થિતિમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની મદદ માટે આગળ આવી છે.
ભારતીય વાયુસેના સંકટ સમયમાં બની સંકટમોચક
ભારતીય વાયુસેના સરકાર અને જનતાને આ કટોકટીની પરિસ્થિતિમાં મદદ કરવા આગળ આવી છે. દેશભરમાં ઓક્સિજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવાઓ, ઉપકરણો અને આરોગ્ય કર્મીઓની વગેરેના એર ટ્રાફિકિંગ એનએ ટ્રાન્સપોર્ટેશન માટે હાલમાં વાયુસેના તેનો રોલ ભજવી રહી છે. ભારતીય વાયુસેનાના સી -17 ગ્લોબમાસ્ટર અને આઈએલ-76 વિમાન દ્વારા ઓક્સિજનની ડિલિવરીને ઝડપી બનાવવા માટે દેશભરના મથકો પર મોટા પ્રમાણમાં ઓક્સિજન ટેન્કરોની હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે ભારતને મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશભરની ઘણી હોસ્પિટલોમાં હાલમાં ભયની સ્થિતિ છે. ગઈકાલે વાયુસેનાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, કોવિડ -19 સામેની લડતમાં વાયુસેનાનો ટ્રાન્સપોર્ટેશન કાફલો સહયોગ કરી રહ્યું છે. તેઓ દેશભરમાં તબીબી સુવિધાઓ પ્રદાન કરવા અને કોવિડ હોસ્પિટલો બનાવવા માટે તબીબી કર્મચારીઓ, સાધનો અને દવાઓનું પરિવહન કરી રહ્યા છે.