કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના એક ટ્વીટથી રાજકારણમાં ફરીથી તીવ્રતા વધી જવા પામી છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે વિશ્વના ઘણા સરમુખત્યારોના નામ 'M' થી કેમ શરૂ થાય છે? તેમણે ઉદાહરણ તરીકે માર્કોસ, મુસોલિની, મિલોસેવિક, હુસ્ની મુબારક, મોબુટુ, મિકોમ્બેરો, મુશર્રફનું નામ પણ લીધું. ભાજપ દ્વારા રાહુલના આ નિવેદનની કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે.
કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું હતું કે, "M થી મોહનદાસ પણ હતા - સાબરમતીના સંત, બાપુ. ભારતની ધરતીની વાત જુદી છે, તે સરમુખત્યારની નહીં પણ બુદ્ધ અને મહાવીરની છે. છોડી દો, તમે રાહુલ ને સમજી નહીં સમજી શકો.
M से Mohandas भी थे - साबरमती के संत, बापू – the greatest apostle of truth and non-violence.
भारत की मिटटी की बात ही अलग है, ये तानाशाह नहीं बुद्ध और महावीर की वसुधा है।
રાહુલ ગાંધીના સરમુખત્યારના ટ્વીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે શું ખરેખર રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવું જરૂરી છે? ભારતીય રાજકારણમાં દરેકને તેમના વિશે ખબર છે.
क्या जरुरी है कि राहुल गांधी को गंभीरता से लिया जाए? उनका भारतीय राजनीति को लेकर क्या दृष्टिकोण रहा है यह सब जानते हैं: भाजपा के राष्ट्रीय अध्यक्ष, जे.पी. नड्डा, राहुल गांधी के "तानाशाह" वाले ट्वीट पर pic.twitter.com/QvdU7Ev7yi
હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે પણ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે મોટાભાગના સરમુખત્યારોના નામની શરૂઆત M. મેં તેમને પૂછ્યું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી અહિંસાના પૂજારી હતા જે આખી દુનિયામાં જાણીતા છે. મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ પણ M થી શરૂ થાય છે, તેમના વિશે તેનો શું મત છે? '
#RahulGandhi you say most dictator's name start with word M what is your opinion about Mohandas Karamchand Gandhi it also start with word M
તે જ સમયે, ટ્વિટર પર લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વીટ પર વિવિધ ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝર્સે લખ્યું છે કે મનમોહન સિંહ અને મોતીલાલ નેહરુનું નામ પણ M થી શરૂ થાય છે. તે જ સમયે, પંકજ શંકર નામના યુઝરે લખ્યું છે કે મનમોહન સિંઘ, મોતીલાલ નેહરુ, M કે સ્ટાલિન અને મમતા બેનર્જીનું નામ પણ M શરૂ થાય છે. મહત્વનું છે કે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર સતત આક્રમક છે.