બીજેપી નેતા તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ આંનંદ ભાસ્કર રાપોલૂએ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' ને પત્ર લખી 15 ઓક્ટોબરને 'રાષ્ટ્રીય વિદ્યાર્થી દિન' જાહેર કરવાની માંગ કરી છે. પૂર્વ સાંસદે પોતાના પત્રમાં લખ્યું કે યૂનાઇટેડ નેશન પહેલાથી જ 15 ઓક્ટોબરને વર્લ્ડ સ્ટૂડેન્ડ ડે રૂપે ઉજવણી કરતું આવ્યું છે.
આનંદ ભાસ્કરે લખ્યું કે, આપણા દેશના યંગ માઇન્ડ્સને ઇનોવેશનના રસ્તે આગળ વધારવા માટે અમારી પાર્ટીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. એમણે દિલ્હીના ઔરંગજેબ રોડનો ઉલ્લેખ કર્યો જેનુ નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામના નામે રાખવામાં આવ્યું હતું.
આનંદ ભાસ્કરે આ પાર્ટી દ્વારા લેવામાં આવેલો એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય બતાવ્યો હતો. એમણે આગળ લખ્યું કે, મેં આ મુદ્દાને પૂર્વ એચઆરડી મિનિસ્ટર સમક્ષ પણ ઉઠાવ્યો હતો.
ડૉ. એપીજે અબ્દુલ કલામે દેશના 11માં રાષ્ટ્રપતિ રૂપે 2002માં પદભાર સંભાળ્યો હતો. અટલ બિહારી બાજપેયીના દેશના વડાપ્રધાન રહેતા એનડીએએ તેમને પોતાનો ઉમેદવાર જાહેર કર્યા હતા.
Anand Bhaskar Rapolu, former Rajya Sabha MP & BJP leader has written a letter to Union HRD Minister Dr Ramesh Pokhriyal Nishank to declare October 15, the birth anniversary of Dr APJ Abdul Kalam, as National Students Day. pic.twitter.com/GOT3mRiCyr
ડૉ. એપીજે અબ્દુલ કલામને 'મિસાઇલ મેન' નામથી યાદ કરવામાં આવે છે. ભારતને મિસાઇલ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનાવવા પાછળ તેમની મહેતન હતી. વર્ષ 2015માં મેઘાલયના શિલોંગમાં તેમનું નિધન થઇ ગયું હતું.