બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / અજીત પવારમાં દિલ્હી ભણી, એકનાથ મુંબઈમાં, ફડણવીસ એકદમ શાંત, શું છે મહારાષ્ટ્રનો ખેલ?
Last Updated: 09:55 PM, 2 December 2024
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાને 10 દિવસ થઈ ગયા છે પરંતુ હજુ સરકાર ગઠનને લઈ અસમંજસ ચાલી રહ્યું છે. બુધવારે બે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. જે પછી મહાયુતિના ત્રણેય પક્ષો રાજ્યપાલ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવી સરકાર 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે શપથ લેશે.
ADVERTISEMENT
ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાઈ નથી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જ જાહેર થયા હતા. પરંતુ સૌથી વધુ 132 બેઠકો જીતનાર ભારતીય જનતા પાર્ટી હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી શકી નથી. જેના કારણે સરકાર રચવાની પ્રક્રિયા આગળ વધી રહી નથી. સરકારના આ વલણને લઈ વિપક્ષ પણ આક્રમક મોડમાં છે.
ADVERTISEMENT
ઉદ્ધવે રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ
NCPના પ્રમુખ શરદ પવાર જનાદેશનું અપમાન ગણાવ્યું છે, જ્યારે આજે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છ ભાજપ નેતૃત્વએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કેન્દ્રીય નિરીક્ષક તરીકે મુંબઈ મોકલવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર
દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!
પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે, જેઓ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હજુ સુધી મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.