દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચિત મામલામાં સામેલ અયોધ્યા કેસ (Ayodhya Case) ની સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે હિન્દૂ પક્ષની દલીલો પૂર્ણ થઇ ચૂકી છે. કેસમાં અત્યાર સુધી જે પ્રકારે સુનાવણી થઇ છે. તેથી નવેમ્બર સુધી તેનો નિર્ણય આવવાની આશા ઘણી વધી છે.
અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં 6 ઓગસ્ટ 2019થી રોજ સુનાવણી થઇ રહી છે. રોજ સુનાવણી વાળા મામલા માટે સુપ્રીમ કોર્ટમાં આમ તો ત્રણ દિવસ નિર્ધારિત કરાયા છે. પરંતુ અધોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટ સોમવારથી શુક્રવાર સુધી, પાંચ દિવસ સુનાવણી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયાસ છે કે નબેમ્બર સુધી આ કેસમાં નિર્ણય સંભળાવવામાં આવે.
પાંચ જજોની બેન્ચ કરી રહી છે સુનાવણી
અયોધ્યા મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પણ સામેલ છે. ચીફ જસ્ટિસ નવેમ્બરમાં રિટાયરમેન્ટ છે. જો બેન્ચે તેમના રિટાયરમેન્ટ પહેલા નિર્ણય નહીં સંભળાવ્યો તો નવા જજની સુનાવણીમાં સામેલ થવા પર ફરીથી આખા કેસની સુનાવણી શરૂ કરવી પડશે. આ કારણ છે કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં રોજ સુનાવણી માટે ત્રણ દિવસની વ્યવસ્થા ખતમ કરી પાંચ દિવસ સુનાવણી કરી રહી છે.
શું છે અયોધ્યા વિવાદ
અયોધ્યામાં રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદની 2.77 એકડ જમીનનો માલિકી હકને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ડિસેમ્બર 1992એ અયોધ્યામાં વિવાદીત ઢાંચો તોડી પડાયો હતો. ત્યારબાદ દેશભરમાં રમખાણ ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. વિવાદિત ઢાંચો તોડી પડાયા પહેલા જ વિવાદિત ઢાંચોની માલિકી હકની લડાઇ શરૂ થઇ ગઇ હતી.
આ મામલામાં પહેલો કેસ 1951માં નોંધાયો હતો. ત્યારથી જમીનની માલિકી હક ને લઇને વિવિધ પક્ષોમાં વિવાદ ચાલી રહ્યો છે. જિલ્લા કોર્ટ અને હાઇકોર્ટથી થતા અયોધ્યા કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 70 વર્ષથી ચાલ રહેલા આ વિવાદની સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી દરમિયાન હિન્દૂ પક્ષે શુક્રવારે પોતાની દલીલ પૂર્ણ કરી છે. હવે મુસ્લિમ પક્ષકાર સોમવારથી સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ મુકશે.
અત્યાર સુધીની સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી થયેલ સુનાવણીમાં રામલલા, નિર્મોહી અખાડા, ઓલ ઇન્ડિયા રામ જન્મસ્થાન પૂનરુત્થાન સમિતિ, હિન્દુ મહાસભાના બે પક્ષ, શિયા વકફ બોર્ડ અને ગોપાલ સિંહ વિશારદના કાનૂની ઉત્તરાધિકારીઓની દલીલો પૂર્ણ થઇ ચૂકી છે. પક્ષકારોને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે પોતાનો અલગ અને સ્પષ્ટ તર્ક રાખે.
આ છે પાંચ જજોની બેન્ચ
અયોધ્યા મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ 17 નવેમ્બર 2019ના દિવસે રિટાયર થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે તેમના સેવાનિવૃત થતા પહેલા જ આ કેસમાં નિર્ણય આવી જશે.
સુન્ની વકફ બોર્ડે લટકાવવાનો કર્યો પ્રયાસ
સુપ્રીમ કોર્ટની નિયમિત સુનાવણીનો સુન્ની વકફ બોર્ડે વિરોધ કર્યો હતો. સુન્ની વક્ફ બોર્ડની તરફથી રજૂ વરિષ્ઠ વકીલ રાજીવ ધવને નિયમિત સુનાવણીનો એમ કહીને વિરોધ કર્યો હતો કે તેથી સુનાવણી માટે તૈયારી કરવાનો પર્યાપ્ત સમય નથી મળે. ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તે પોતાની દલીલી માટે 20 દિવસનો સમય લેશે.
શુક્રવારે થઇ સુનાવણી
શુક્રવારે સુપ્રીમ કોર્ટે મામલામાં શિયા વકફ બોર્ડની દલીલ સાંભળીય શિયા વકફ બોર્ડને કોર્ટમાં બતાવ્યું કે અમે ઇમામ તો સુન્ની રાખ્યા, પરંતુ મુતવલ્લી અમે જ હતા. સુપ્રીમ કોર્ટે એમને પૂછ્યૂ કે, જ્યારે એમની અપીલ સિવિલ કોર્ટમાં ફગાવી દેવાઇ હતી તો એમણે ફરીવાર અપીલ કેમ ન કરી. તેના પર શિયા વકફ બોર્ડના વકીલ એમસી ધીંગરાએ કહ્યું કે ત્યારે અમે ડરેલા હતા. શિયા વકફ બોર્ડે 2017માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સામે આવ્યા રામના ઘણા વંશજ
સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી ચાલેલી સુનાવણીમાં સૌથી રસપ્રદ બાબત સામે આવી. જ્યારે સુપ્રીમ કોર્ટે ભગવાન શ્રી રામના વંશજો માટે પૂછ્યૂ. ત્યારબાદ ઘણા લોકો રામના વંશજ હોવાના દાવા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી ચૂક્યા છે.