વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે દાવો કર્યો હતો કે હરિયાણાના ઘણા વિસ્તારોમાં રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે, જે પછી હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજનું મોટું નિવેદન સામે આવ્યું છે.
હરિયાણાના પ્રધાનનું ચોંકાવનારું નિવેદન
અનિલ વિજે કહ્યું કે, આ કોઈ ધર્મશાળા નથી
અમે તેમનો વહીવટ કરીશું: ગૃહપ્રધાનની ચીમકી
વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે દાવો કર્યો હતો કે હરિયાણાના ઘણા વિસ્તારોમાં રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા સતત વધી રહી છે, જે પછી હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજનું મોટું નિવેદન બહાર આવ્યું છે. અનિલ વિજે ટ્વીટ કર્યું હતું કે ભારત દેશ કોઈ ધર્મશાળા નથી, જ્યાં કોઈપણ આવીને સ્થાયી થઈ શકે. વિજે કહ્યું કે, રાજ્યમાં રોહિંગિયા વિશેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે અમે તેમનો વહીવટ કરીશું.
उनके बारे में जानकारी इकठ्ठा की जा रही है। आगे कार्रवाई की जाएगी। निश्चित तौर पर भारत एक धर्मशाला तो है नहीं कि जिसका दिल करे वे यहां आकर रुक जाएं और ठहरने लग जाएं। उसका हम इंतजाम करेंगे: हरियाणा के गृह मंत्री अनिल विज, हरियाणा में रोहिंग्या मुस्लिमों के फिर से बसने पर pic.twitter.com/1P5oNpbs1R
અનિલ વિજે ટ્વીટ કર્યું, "તેમના વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે, અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. નિશ્ચિતપણે ભારત એ કોઈ ધર્મશાળા નથી કે જેમની ઈચ્છા થાયે તે આવે અને અહીં રોકાઈ જાય. અમે આને જોઈશું." મહત્વનું છે કે વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે ઈન્ડિયા ટીવીને કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં તેમની સંખ્યા લાખોમાં હશે અને તે દેશની સુરક્ષા માટે મોટો ખતરો હશે.
બંસલના જણાવ્યા મુજબ, રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં બનાવટી રીતે સતત આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવી રહ્યા છે. વિનોદ બંસલે ઈન્ડિયા ટીવીને જણાવ્યું હતું કે આ રોહિંગ્યા મુસ્લિમો હરિયાણાના વિવિધ જિલ્લાઓ જેવા કે મેવાત અને ગુડગાંવમાં સ્થાયી થયા છે અને તેમને સ્થાનિક મુસ્લિમો દ્વારા આશ્રય આપવામાં આવી રહ્યો છે.
VHPએ સરકારને સોંપ્યો અહેવાલ
ગયા વર્ષે મે મહિનામાં, વીએચપીએ મે મહિનામાં સિવિક સોસાયટીના સહયોગથી સરકારને આ અંગે અહેવાલ આપ્યો હતો. બંસલે કહ્યું કે આ અહેવાલ રોહિંગ્યા મુસ્લિમોને લઈને આપવામાં આવ્યો હતો, જોકે રિપોર્ટમાં ક્યાંય રોહિંગ્યા મુસ્લિમ શબ્દનો ઉપયોગ થયો નથી, ફક્ત મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સિવિક સોસાયટીના કોલની તપાસ માટે વીએચપીએ એક સમિતિની રચના પણ કરી હતી, જ્યાંથી તેણે મે 2020 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. આ સમિતિની અધ્યક્ષતા મેજર જનરલ (નિવૃત્ત) જી.ડી.બક્ષીએ કરી હતી અને બીજી રચના પૂર્વ ન્યાયાધીશ પવન કુમારના નેતૃત્વમાં કરવામાં આવી હતી. આ અહેવાલોમાં હિન્દુ સમાજ પર અત્યાચારની તમામ ઘટનાઓનો ઉલ્લેખ છે.