બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'પાકિસ્તાનમાં 100 કિમી અંદર જઈને આતંકવાદીઓને...' ઓપરેશન સિંદૂર પર અમિત શાહ

પ્રહાર / 'પાકિસ્તાનમાં 100 કિમી અંદર જઈને આતંકવાદીઓને...' ઓપરેશન સિંદૂર પર અમિત શાહ

Last Updated: 10:17 PM, 17 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah On Pakistan : આતંકવાદ સામે PM મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, પહેલીવાર સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિમી અંદર જઈને આતંકવાદીઓને જવાબ આપ્યો

Amit Shah On Pakistan : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વાર ગુજરાત આવેલ અમિત શાહે પાકિસ્તાનને લઈ મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ લીધા ત્યારથી આજ સુધી દેશમાં ત્રણ મોટા હુમલા થયા છે - ઉરી, પુલવામા અને પહેલગામ. જ્યારે તેઓએ દરેક હુમલાનો જવાબ આપ્યો ત્યારે દુનિયા આશ્ચર્યથી જોતી રહી અને પાકિસ્તાન ભયથી જોતું રહ્યું. આતંકવાદ સામે PM મોદીની 'ઝીરો ટોલરન્સ' નીતિની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, પહેલીવાર સેનાએ પાકિસ્તાનની અંદર 100 કિમી અંદર જઈને આતંકવાદીઓને જવાબ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની લશ્કરી કાર્યવાહી અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આતંકવાદનો યોગ્ય જવાબ આપ્યો છે અને આઝાદી પછી આ પહેલી વાર છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર પ્રવેશ કર્યો છે અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, જ્યારથી વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી છે, ત્યારથી આતંકવાદી હુમલાઓનો એવો જવાબ આપવામાં આવ્યો છે કે આખી દુનિયા ચોંકી ગઈ છે અને પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ , જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોનો નાશ કરવામાં આવ્યો છે.

100 કિલોમીટરની અંદર દુશ્મનનો નાશ થયો: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, ભારતીય સેનાએ કુલ 9 એવા ઠેકાણાઓનો નાશ કર્યો છે જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી હતી અને જે તેમના છુપાયેલા સ્થળો હતા. શાહે કહ્યું, આપણી સેનાએ આતંકવાદીઓને એવી રીતે જવાબ આપ્યો કે તેમના કેમ્પ 100 કિલોમીટર અંદર નાશ પામ્યા.

વધુ વાંચો : 'હું નર્કમાં જવાનું પસંદ કરીશ, પણ પાકિસ્તાન ક્યારેય નહીં જાવ...' જાવેદ અખ્તર કેમ આવું બોલ્યા

આ સાથે શાહે પાકિસ્તાનના પરમાણુ ધમકીઓનો પણ યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું, જે લોકો આપણને પરમાણુ બોમ્બની ધમકી આપતા હતા તેઓ વિચારતા હતા કે ભારત ડરી જશે. પરંતુ આપણી સેના, નૌકાદળ અને વાયુસેનાએ તેમને એવો જવાબ આપ્યો છે કે, હવે આખી દુનિયા આપણી ધીરજ અને PM મોદીની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Amit Shah India-Pakistan tension
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ