CRPFએ ગુરુવારે પોતાના કાફલાના રૂટની સાવધાની રાખી હતી પરંતુ જમ્મૂ-શ્રીનગર રાજમાર્ગના એક ભાગમાં સિવિલયન વિકલ્સ માટે ખુલ્લો મુકવાની અનૂમતિ ઘાતક સાબિત થઇ. CPRFના ગ્રેનેડ હુમલા અને અચાનકથી થનારી ફાયરિંગને લઇને સતર્કતા રાખી હતી અને રૂટની સંપૂર્ણ રીતે તપાસ કરી હતી.
CRPFના ઇન્સ્પેક્ટર જનરલ (ઑપરેશન્સ) કશ્મીર જુલ્ફિકાર હસને કહ્યુ કે ''રોડ ઑપનિંગ પાર્ટી (RoP)એ ગુરુવારે સવારે રૂટની તપાસ કરી હતી. આ રૂટ પર ક્યાંય પણ IED નહતુ મળ્યુ અને ન તો સંભાવના બાકી રાખવામાં આવી હતી કે જવાનોના કાફલા પર ફાયરિંગ કરી શકે અથવા તો ગ્રેનેડ ફેંકવામાં આવે.'' CRPFના અધિકારીઓએ જણાવ્યુ કે જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલાવર અહમદ કશ્મીરી નાગરિકોને આપવામાં આવેલી આઝાદીનો ઉપયોગ કરતા એક સર્વિસ રોડથી જમ્મૂ-શ્રીનગર હાઇવે પરથી આવ્યો.
તમને જણાવી દઇએ કે પહેલા જ્યારે સુરક્ષાબળોને ફાકલો ચાલે છે ત્યારે વચ્ચે સિવિલ ગાડીઓને નથી જવા દેવામાં આવતી પરંતુ સ્થિતિ ઠીક રહેતા કાફલાની વચ્ચે અથવા તો આગળ-પાછળ સિવિલની ગાડીઓ ચાલી જે ખતરનાક સાબિત થઇ. CRPFના અધિકારીએ જણાવ્યુ કે ''સ્થાનીય નાગરિક અમારી મૂવમેન્ટથી મુશ્કેલી ના વેઢે આ માટે તેમની ગાડીઓને ફાકલાની આસપાસ જવા-આવવાની પરવાનગી આપવામાં આવી હતી આ રીતે હુમલો કરવાની રીત નવી હતી અને ચોંકાવનારી હતી.'' તેમણે કહ્યુ કે ''સુરક્ષાબળો પોતાની રણનીતિમાં બદલાવ ચોક્કસથી કરશે.''
ઉલ્લેખનીય છે કે ગુરુવારે આતંકવાદીઓએ CRPFના જે કાફલા પર હુમલો કર્યો તે જમ્મૂ-શ્રીનગરની તરફ જઇ રહ્યો હતો અને તેમાં 78 વાહનોમાં 2547 જવાન શામેલ હતા. આ આતંકી હુમલામાં 37 જવાન શહીદ થયા અને લગભગ 20થી વધારે જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુલવામામાં CRPF જવાનો પર થયેલા આ આંતકી હુમલો પહેલી વખત નથી. એક વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2018ના આંતકીવાદીઓએ પુલવામાં પંજગામ સ્થિત કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આંતકવાદીઓએ CRPFના શિબિર પર હુમલો કરવા કેમ્પમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો પરંતુ જવાનોની સતર્કતાને કારણે તેઓ સફળ ના થયા.