બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:07 PM, 19 June 2025
એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે અકસ્માતગ્રસ્ત બોઇંગ 787-8 ડ્રીમલાઈનરનું યોગ્ય રીતે સાચવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વિમાનની છેલ્લી વાર ગહન તપાસ જૂન 2023 માં કરવામાં આવી હતી અને આગળની તપાસ ડિસેમ્બર 2025 માં થવાની હતી.
ADVERTISEMENT
મુસાફરોને આપેલા સંદેશમાં એર ઈન્ડિયાના વડાએ એમ પણ કહ્યું કે આવતા કેટલાક અઠવાડિયાં માટે કંપનીના મોટા વિમાનોના ફ્લીટના ઓપરેશનમાં 15 ટકા સુધીની ઘટાડો એક તાત્કાલિક પગલું છે.
'ઉડાન પહેલાં એન્જિનની તપાસ કરવામાં આવી હતી'
ADVERTISEMENT
તેમણે જણાવ્યું,
‘‘વિમાનની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી હતી, છેલ્લી વાર તેની ગહન તપાસ જૂન 2023માં કરવામાં આવી હતી અને આગળની તપાસ ડિસેમ્બર 2025માં થવાની હતી. તેના જમણી બાજુના એન્જિનની મરામત માર્ચ 2025માં કરવામાં આવી હતી અને ડાબી બાજુના એન્જિનની તપાસ એપ્રિલ 2025માં થઈ હતી. વિમાન અને એન્જિન બંનેની નિયમિત રીતે તપાસ કરવામાં આવી હતી અને ઉડાન પહેલાં કોઈ સમસ્યા જણાઈ ન હતી.’’
ADVERTISEMENT
વિલ્સને આગળ જણાવ્યું કે,
એરલાઈન તેમજ આખું એવિએશન ઇન્ડસ્ટ્રી આ દુર્ઘટના પાછળના કારણોને જાણવા માટે અધિકૃત તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે.વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે એરલાઈન પોતાના બોઇંગ 787 અને 777 ફ્લીટની ઉડાન-પહેલાની સલામતી તપાસ વધુ મજબૂત બનાવી રહી છે.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં ઘટાડો કરવાનો નિર્ણય
વિલ્સને કહ્યું કે
ADVERTISEMENT
આ વધારાની તપાસમાં લાગનારા સમય અને ઉડાનોના ઓપરેશન પર શક્ય અસરને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાએ 20 જૂનથી લઈને જુલાઈના મધ્ય સુધી મોટા વિમાનોની આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં આશરે 15 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું,
ADVERTISEMENT
‘‘આ અમને કોઈપણ તાત્કાલિક સમસ્યાનો સામનો કરવા માટે વધુ વિમાનો તૈયાર રાખવામાં મદદ કરશે. અમને લાગે છે કે અમારા ફ્લાઈટ ઓપરેશનમાં આ તાત્કાલિક ઘટાડો તમારા પ્રવાસ યોજનાઓને અસર કરી શકે છે. આ માટે અમે દિલગીર છીએ.’’
વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે - એર ઈન્ડિયા CEO
વિલ્સને કહ્યું કે કંપની આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને આ વિમાન દુર્ઘટનાના કારણો શોધવા માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું,
‘‘આ નુકસાનથી અસરગ્રસ્ત તમામ લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે.’’
વધુ વાંચો: વિપક્ષી નેતાએ અસીમ મુનીરની અમેરિકા મુલાકાત પર કહ્યું, શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારતમાં સરકાર...
એર ઈન્ડિયાની ઉડાન AI171 માં ક્રૂના 12 સભ્યો સહિત 242 લોકો સવાર હતા. આ વિમાન 12 જૂનના રોજ અમદાબાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી થોડી જ મિનિટોમાં શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા એક મેડિકલ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. વિમાનના ક્રેશ થવાથી કુલ 270 લોકોના મોત થયા હતા, જેમાં વિમાનમાં સવાર 241 લોકો પણ સામેલ હતા. માત્ર એક મુસાફર જીવિત બચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.