દેશની અંદર હાલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી લગભગ 72.23 ટકા દર્દીઓ ખાલી પાંચ રાજ્યોથી જ છે, સરકારે આની માહિતી આપી હતી.
કોરોનાની દેશમાં સ્થિતિ સમીક્ષા બાદ આપ્યું નિવેદન
સાડા છ મહિના પછી 10 લાહથી વધુ એક્ટિવ કેસ
72.23 ટકા દર્દીઓ તો માત્ર પાંચ રાજયોમાંથી જ છે
દેશમાં હાલના સમયમાં કોરોના સંક્રમણની નવી લહેર ચાલી રહી છે અને સરકારે આજે માહિતી આપતા કહ્યું હતું કે 72.23 ટકા કેસ માત્ર પાંચ રાજ્યો - મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળથી છે. મહત્વનું છે કે દેશમાં સંક્રમિતોની સંખ્યા લગભગ સાડા 6 મહિના પછી એકવાર ફરીથી 10 લાખને પાર કરી ગઈ છે.
આ 10 રાજ્યોમાં સંક્રમણ ઝડપથી ફેલાયું છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સંક્રમણ લાગેલા 10,46,631 દર્દીઓમાંથી 45.65 ટકા પૂણે, મુંબઇ, થાણે, નાગપુર, બેંગ્લોર અર્બન, નાસિક, દિલ્હી, રાયપુર, દુર્ગ અને ઔરંગાબાદમાંથી છે અને કુલ કેસના 7.93 કેસ છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ,.ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં દસ રાજ્યોમાં કોવિડ -19 ના કેસોની સંખ્યા ઝડપથી વધી છે અને આ રાજ્યોમાં સંક્રમણના કુલ 82.82 ટકા છે.
શનિવારે 1,45,384 નવા કેસ આવ્યા હતા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, શનિવારે ભારતમાં કોરોના વાયરસના 1,45,384 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સંક્રમણના કુલ કેસો વધીને 1,32,05,926 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,993 નવા કેસ નોંધાયા છે. આ પછી છત્તીસગઢમાં 11,447 અને ઉત્તર પ્રદેશમાં 9,587 નવા કેસ આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 1,19,90,859 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 301 લોકોના મોત થયા છે
મંત્રાલયે કહ્યું, 'રોગચાળાથી મરી રહેલા લોકોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 794 લોકોનાં મોત થયાં. 10 રાજ્યોમાં 86.78 ટકા મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 301 લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી છત્તીસગઢમાં 91 લોકોનાં મોત નીપજ્યાં.
અત્યાર સુધીમાં કેટલા લોકોને રસી અપાઈ છે ?
મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ -19 થી મૃત્યુ થયાના કોઈ સમાચાર નથી. તેમાં પુડુચેરી, લદાખ, દમણ અને દીવ, દાદર અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, મણિપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ -19 રસીના 9.80 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી જે રસી આપવામાં આવી છે તેમાંથી 60.62 ટકા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળમાં આપવામાં આવ્યા છે.