કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ ભારત જંગ જીતવા તરફ વધી રહ્યું છે. આ સંબંધમાં મંગળવારે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકિકતમાં મંગળવારે મળેલી જાણકારી મુજબ 15 રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગત 24 કલાક દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના કારણે કોઈ મોત નથી થયા.
15 રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં નથી થયા મોત
7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં ગત 3 અઠવાડીયામાં એક પણ મૃત્યુ નથી
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે 33 રાજ્યોમાં કોરોના સંક્રમણના 5 હજારથી ઓછા સક્રિય મામલા રહી ગયા છે. 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ ગત 24 કલાકમાં અનેક મૃત્યુ નોંધાયા નથી. 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં ગત 3 અઠવાડીયામાં એક પણ મૃત્યુ નથી થયા.
આ 15 રાજ્યો - કેન્દ્રશાસિત પ્રદેશોમાં નથી થયા મોત
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 8 વાગે જારી આંકડા અનુસાર ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, લક્ષ્યદ્વીપ, લદ્દાખ, ઝારખંડ, જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગોવા, દાદરા- નગર હવેલી અને દમન- દીવ, અરુણાચલ પ્રદેશ અને અંડમાન- નિકોબારમાં કોરોના વાયરસ સંક્રમણથી કોઈ નવા મોત નથી થયા.
યુપીમાં આજે કોઈ નવા મોત નહીં
ઉત્તર પ્રદેશમાં માર્ચ 2020 બાદ ગત 11 મહિનામાં એવું પહેલી વાર થયું છે જ્યારે રાજ્યમાં સંક્રમણના કારણે કોઈનું મોત નથી થયુ. ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં કોઈ મોત નથી થયું. તેમજ 24 કલાકમાં 37 જિલ્લામાં કોરોનાના કોઈ નવા કેસ નોંધાયા નથી. અમિત મોહન પ્રસાદે જાણકારી આપી કે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 113 નવા કેસ આવ્યા છે. 113 કેસ 38 જિલ્લામાંથી આવ્યા છે એટલે કે 37 જિલ્લા એવા છે જ્યાં એક પણ નવા કેસ આવ્યા નથી.
દિલ્હીમાં પણ આજે કોઈ નવુ મોત નહીં
માર્ચ 2020એ કોરોના મહામારીથી લડી રહેલા દિલ્હીવાસીઓ માટે મોટા રાહતની વાત એ છે કે ગત 24 કલાકમાં દિલ્હીમાં આ જીવલેણ વાયરસના કારણથી કોઈનો જીવ નથી ગયો. લગભગ 287 દિવસ બાદ આ રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યું કે દિલ્હીવાસીઓ માટે સુખદ સમાચાર, આજે કોરોનાની કારણે દિલ્હીમાં એક પણ મોત નથી થયા. દિલ્હીવાસીઓને અભિનંદન, કોરોનાના કેસ પણ અત્યારે ઓછા થઈ ચૂક્યા છે. રસી અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દિલ્હીવાસીઓએ કોરોનાની વિરુદ્ધ બહું આકરી લડાઈ લડી. હજું આપણે સંપૂર્ણ સાવધાની વર્તવાની છે
ક્યાં મળી રહ્યા છે સૌથી વધારે કેસ?
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે હજું પણ 2 રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ સક્રિય મામલાના 71 ટકા મામલા છે. કેરળ 45 ટક સક્રિય મામલા છે. મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 4 ટકા, પશ્ચિમ બંગાળમાં 3 ટકા, તમિલનાડુમાં 3 ટકા છે.