પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તોરા લેકના વિકાસ કાર્યની આધારશીલા રાખી.
ઉત્તર પ્રદેશ તો પર્યટન, તીર્થાટન બન્ને મામલામાં સમૃદ્ધ
મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની શુભાકામનાઓ આપી
સરદાર પટેલની સાથે શું થયું દેશના નાના બાળકો પણ સારી રીતે જાણે છે
મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની શુભાકામનાઓ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તોરા લેકના વિકાસ કાર્યની આધારશીલા રાખી. આ ઉપરાંત પીએમએ મહારાજા સુહેલદેવ સ્વશાસી રાજ્ય ચિકિત્સા મહાવિદ્યાલય બહરાઈચનું પણ લોકોર્પણ કર્યુ. પોતાના ભાષણની શરુઆતમાં પીએમે કહ્યું કે પોતાના પરાક્રમથી માતૃભૂમિનુ માન વધારનારા, રાષ્ટ્રનાયક મહારાજા સુહેલદેવની જન્મભૂમિ અને ઋષિ મુનિયોએ જ્યાં તપ કર્યુ, બહરાઈચની આ પુણ્યભૂમિને હું નમન કરુ છું. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને વસંત પંચમીની શુભાકામનાઓ આપી હતી અને કહ્યું કે મા સરસ્વતી ભારતને જ્ઞાન- વિજ્ઞાનને સમૃદ્ધ કરે.
ભારતનો ઈતિહાસ ફક્ત તે નથી જે દેશને ગુલામ બનાવનારા કે ગુલામીની માનસિકતા સાથે લખાયો
પીએમ મોદીએ કહ્યું કે આજે મને બહરાઈચમાં મહારાજા સુહેલદેવજીના ભવ્ય સ્મારકના શિલાન્યાસનું સૌભાગ્ય મળ્યું છે. આ આધુનિક અને ભવ્ય સ્મારક એતિહાસિક ચિતૌરા લેકના વિકાસ,બહરાઈચ પર મહારાજા સુહેલદેવના આશીર્વાદને વધારશે અન આવનારી પેઢીને પ્રેરિત કરશે. તેમણે કહ્યું કે ભારતનો ઈતિહાસ ફક્ત તે નથી જે દેશને ગુલામ બનાવનારા, ગુલામીની માનસિકતાની સાથે લખનારાઓએ લખ્યો, ભારતનો ઈતિહાસ તે પણ છે જે ભારતના સામાન્ય જનમાં, ભારતની લોકગાથાઓમાં રચા પ્ચ્યો છે. જે પેઢી દર પેઢી વધ્યો છે.
સરદાર પટેલની સાથે શું થયું દેશના નાના બાળકો પણ સારી રીતે જાણે છે
તેમણે કહ્યું કે બહરાઈચ જેવા વિકાસના આકાંક્ષી જિલ્લામાં સ્વાસ્થ્યની સુવિધાઓ વધારવી અહીં રહેનારાઓના જીવનને સરળ બનાવશે. આનો લાભ આસપાસના જિલ્લા શ્રાવસ્તી, બલરામપુર,સિધ્ધાર્થનગરને થશે સાથે સાથે નેપાળથી આવનારા દર્દીઓને પણ મદદ મળશે. પીએમે કહ્યું કે દેશના 500થી વધારે રજવાડાને એક કરવાનું મુશ્કેલ કામ સરદાર પટેલની સાથે શું થયું દેશના નાના બાળકો પણ સારી રીતે જાણે છે. આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર પટેલની છે. જે આપણને પ્રેરણા આપી રહી છે.
ઉત્તર પ્રદેશ તો પર્યટન, તીર્થાટન બન્ને મામલામાં સમૃદ્ધ છે
પીએમએ કહ્યું કે ભારતના અનેક એવા સેનાની છે જેમના યોગદાનને અનેક કારણોસર માન નહોંતું આપવામાં આવ્યુ. ચોરી-ચોરાના વીરોની સાથે જે થયું. તે શું આપણે ભૂલી શકીએ છીએ? મહારાજા સુહેલદેવ અને ભારતીયતાની રક્ષા માટે તેમના પ્રયત્નોની સાથે એ પણ આ પ્રયાસ કરવામાં આવ્યો. વિતેલા કેટલાક વર્ષોમાં દેશભરમાં ઈતિહાસ, આસ્થા, આધ્યાત્મ, સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમનુ બહું મોટું લક્ષ્ય પર્યટનને પ્રોત્સાહન આપવાનું હતુ. ઉત્તર પ્રદેશ તો પર્યટન, તીર્થાટન બન્ને મામલામાં સમૃદ્ધ પણ છે અને તેમની ક્ષમતાઓ પણ અપાર છે.