કોરોના કાળ દરમિયાન સંસદનું આજથી મોનસૂન સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારોને સંબોધન કર્યું. પીએમ મોદીએ હિંદી દિવસની શુભેચ્છા પાઠવી.પીએમ મોદીએ કહ્યું સેનાના જવાનો પાછળ દેશ-સંસદ-સંસદીય સભ્યો ઉભા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોનસૂન સત્રને લઇને સંસદ ભવન પહોંચ્યા હતા. જો કે સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ નિવેદન આપતા કહ્યું કે આજે સંસદનો પ્રારંભ થઇ હ્યો છે. કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે. તમામ સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો છે. આ પહેલ માટે તમામ સાંસદોને ધન્યાવાદને પાત્ર ગણું છે.
I believe that all members of the Parliament will give an unequivocal message that the country stands with our soldiers: Prime Minister Narendra Modi #MonsoonSessionpic.twitter.com/9IWJqjpopK
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એવા કઠિન સમયમાં સંસદ સત્ર શરૂ થઇ રહ્યું છે. એક તરફ કોરોના તો બીજી તરફ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો હું તેમને ધન્યવાદ કહું છુ. આ વખતે લોકસભા અને રાજ્યસભા અલગ-અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સદન ચાલશે. બધા સાંસદોએ તેના પર મહોર લગાવી છે.
કોરોનાને લઇને પીએમ મોદીએ કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદની શરૂઆત પહેલા નિવેદન આપ્યું કે કોરોનાની ગાઇડલાઇનનું પાલન તમામે કરવાનું છે. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઇ ઢીલાઇ નહીં. આ સત્રની વિશેષ જવાબદારી છે.
જવાનો સાથે દેશ-સંસદ-સંસદીય સભ્યો
પીએમો મોદીએ દેશના જવાનોને લઇને નિવેદન આપતાં કહ્યું કે આપણા વીર જવાનો સીમ પર હિંમત સાથે તૈનાત છે. થોડા સમય બાદ હિમવર્ષા પણ શરૂ થશે. સંસદના તમામ સભ્યો એક ભાવ-ભાવનથી સૈનિકોને સંદેશ આપશે. સેનાના જવાનો પાછળ દેશ-સંસદ-સંસદીય સભ્યો ઉભા છે.
પીએમ મોદીએ મીડિયાકર્મીઓને કરી અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની પ્રારંભ પહેલા સંબોધનમાં મીડિયા કર્મીઓને લઇને જણાવ્યું હતું કે આ વખતે બધી જગ્યાએ જવાની મંજૂરી નહીં મળે. મીડિયાના લોકો પણ પોતાનું ધ્યાન રાખે તેવી પ્રાર્થના કરી.