તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2017નું ટાઇટલ જીતનાર માનુષી છિલ્લરે ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. મેડિકલની સ્ટુડન્ટ માનુષી દવાઓ અંગે અભ્યાસ કરી રહી છે અને તે ભારતમાં દવાઓની ગુણવત્તા વધારવા કામ કરવા માંગે છે. માનુષી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે આવીત્યારે તેણે પ્રધાનમંત્રીની સાથે પોતાની ભવિષ્યની યોજનાઓને લઇને ચર્ચા કરી. આ દરમિયાન તેનો પરિવાર પણ તેની સાથે જ હતો. માનુષીના પિતા બસુ છિલ્લરે એક ન્યૂઝપેપરની સાથેની વાત કરતા જણાવ્યું કેવડાપ્રધાને યુવા વિદ્યાર્થી માનુષીના પેટ ભરીને વખાણ કર્યા હતા અને કહ્યું કે ''આ દીકરીએ ભારતનું નામ રોશન કર્યું છે.''
મિત્રાએ જણાવ્યા મુજબ આ વર્ષે મિસ વર્લ્ડનો ટાઇટલ જીતવાથી પહેલા કલર્સ ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકેલી માનુષીએ પ્રધાનમંત્રી મોદીને જણાવ્યું કે ''તેણે આ ઉપલબ્ધિ એ માટે મેળવી છે કારણ કે દેશે તેને ઘણુંબધુ આપ્યુ છે.'' માનુષીએ આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને પોતાની આગામી યોજના શક્તિ અંગે પણ જાણ કરી હતી. માનુષી આ પ્રોજેક્ટના માધ્યમથી દેશમાં મેન્સ્ટ્રુઅલ હાઈજિન અંગે જાગૃતિ લાવવા માંગે છે.
માનુષીએ પ્રધાનમંત્રી મોદીને વિશ્વાસ અપાવ્યું કે આવનારા સમયમાં તે તેમના વિઝનને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી સાથે થયેલી આ મુલાકાત દરમિયાન માનુષીતેના માતા-પિતાદાદા-દાદીભાઈ અને બહેન પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રીએ માનુષીને પ્રોત્સાહિત કરી હોવાથી તેના પરિવારજનો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
મિત્રાએ જણાવ્યું કે ''પ્રધાનમંત્રી મોદીને એવું લાગે છે કે માનુષીએ ટાઇટલ જીત્યા બાદ તેના મિશન પર તેની સકારાત્મક અસર દેખાશે.'' મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરતા જણાવ્યું ''આજે માનુષી છિલ્લર અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. તેમની સિદ્ધિ માટે હું તેમને વધાઈ આપવા માંગુ છું.''
મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનુષીને કહ્યું કે તે આ વર્ષે તો સૌંદર્ય સ્પર્ધાઓમાં વ્યસ્ત રહેશે પણ પછી તે તેની ઉર્જા દેશના વિકાસમાં ખર્ચ કરે તેવી આશા છે. પ્રધાનમંત્રીએ માનુષીને એ પણ વિશ્વાસ અપાવ્યો કે માનુષીને કોઈપણ કામ માટે પ્રાઈમ મિનિસ્ટર ઑફિસની જરૂર હશે તો તે ખચકાટ વિના તેમની મદદ માંગી શકે છે.