પુલવામામાં આતંકવાદિઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણમાં મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા ગયા છે.
પુલવામાના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા
મરનારા આતંકવાદીમાં બે સ્થાનીય હતા 1 પાકિસ્તાની હતો
નવા વર્ષના 5 દિવસમાં ચોથી અથડામણ 9 આતંકવાદીઓ માર્યા ગયા
પુલવામાના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા
જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં ચાંદગામમાં આતંકવાદિયોઅને સુરક્ષાદળોની વચ્ચે અથડામણમાં મોટી સફળતા મળી છે. બુધવારે સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમાચાર મળ્યા છે કે મરનારામાં એક પાકિસ્તાની નાગરિક પણ સામેલ હતો. ગત કેટલાક દિવસોમાં સુરક્ષાદળો દક્ષિણ કાશ્મીરમાં આતંકની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યા છે. મંગળવારે કુલગામમાં લશ્કર-એ- તૈયબાના બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
મરનારા આતંકવાદીમાં બે સ્થાનીય હતા 1 પાકિસ્તાની હતો
મંગળવારે થયેલી કાર્યવાહીના સંબંધમાં એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે સુરક્ષાદળોએ કુલગામમાં જિલ્લાના ઓકે ગાંમની ઘેરાબંધી કરી ત્યાં તલાસ અભિયાન શરુ કર્યુ હતુ. જે બાદમાં અથડામણમાં ફેરવાઈ ગયું હતુ. તેમણે જણાવ્યું કે અથડામણમાં બે આતંકવાદીઓના મોત થયા છે. પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર) વિજય કુમારે જણાવ્યું કે માર્યા ગયેલા બન્ને આતંકવાદી સ્થાનીય લોકો હતા અને લશ્કર સાથે જોડાયેલા હતા. તેમણે જણાવ્યું છે કે તે આતંકવાદી ગતિવિધિઓમાં સંલિપ્ત હતા.
BSFઘૂસણખોરોને ઠાર કરવામાં સફળ
સાંબા જિલ્લામાં આતંરરાષ્ટ્રીય સીમા પર શંકાસ્પદ ગતિવિધિને શોધવા પર સીમા સુરક્ષા દળના જવાનો તરફથી કરવામાં આવેલી ગોળીબારીમાં સોમવારે એક ઘૂસણખોરીમાં માર્યા ગયા. દળના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી. અધિકારીએ કહ્યું છે કે બીએસએફના સતર્ક જવાનોએ રામગઢમાં આંતરરાષ્ટ્રીય સીમા પર શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોરોની હરકત જોવા મળી જે બાદ તેમને પડકાર આપવા માટે ગોળીબારી કરવામાં આવી. તેમણે કહ્યું કે ઘૂસણખોરો પર જ્યારે જવાનોની ચેતવણીની કોઈ અસર ન થઈ તો જવાનોએ તેને ઠાર કર્યા હતા.
વર્ષ 2022માં 5 દિવસમાં આ ચોથી અથડામણ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 5 દિવસમાં આ ચોથી અથડામણ છે. જો કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સેનાએ 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં જૈશ-એ - મોહમ્મદના સભ્યો પણ હતા. સેનાના આંકડા મુજબ ગત વર્ષ 171 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ લિસ્ટમાં 19 આતંકવાદી તો પાકિસ્તાનના હતા તો 151 સ્થાનીય હોવાનું સામે આવ્યું છે. હવે આ વર્ષે પણ મોટી કાર્યવાહી કરવાની તૈયારી છે. ગત દિવસોમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં સૌથી વધારે જૈશેના આતંકીઓ શિકાર થયા છે.