દેશ આજે 13 વર્ષ જૂના આતંકી હુમલામાં શહીદ અને માર્યા ગયેલા નાગરિકોને યાદ કરી રહ્યો છે. દેશના રાષ્ટ્રપતિ સહિત મંત્રીઓએ ટ્વીટ કરી શહીદોને આપી શ્રદ્ધાંલિ.
26/11ના શહીદોને રાષ્ટ્રપતિએ કર્યા નમન
વિદેશી મંત્રી જયશંકરે પાકિસ્તાનું નામ લીધા વગર સાધ્યું નિશાન
ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ આપી શ્રદ્ધાંજલિ
વિદેશી મંત્રી જયશંકરે પાકિસ્તાનું નામ લીધા વગર સાધ્યું નિશાન
13 વર્ષ પહેલા મુંબઈમાં અનેક જગ્યાઓ પર હુમલો થયો. જેમાં 166 લોકો માર્યા ગયા અને 293 અન્ય ઘાયલ થયા. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી પણ શહીદ થયા હતા. શુક્રવારે વિદેશી મંત્રી જયશંકરે 26/11ના હુમલાને યાદ કરતા ટ્વીટ કરી. પોતાની ટ્વીટના માધ્યમથી પડોશી પાકિસ્તાનનું નામ લીધા વગર તેમની આંતકી નીતિયો પર નિશાનો સાધ્યો છે. મુંબઈ હુમલામાં એક તસવીર ટ્વીટ કરી જયશંકરે લખ્યું, ક્યારેય નહીં ભૂલી શકે. જયશંકરે જે ટ્વીટ કર્યુ છે તેમાં તાજ હોટલની ઈમારતમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે.
26/11ના શહીદોને રાષ્ટ્રપતિએ કર્યા નમન
આની પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદોને નમન કર્યુ. રાષ્ટ્રપતિ ભવનના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યુ કે શહીદો અને 26/11માં મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ. કર્તવ્ય પથ પર પોતાનો જીવ દેનારા સુરક્ષા દળોની બહાદુરી અને બલિદાન માટે રાષ્ટ્ર હંમેશા આભારી રહેશે.’
હું તેમની બહાદુરી અને બલિદાનને સલામ કરુ છું- રાજનાથ સિંહ
રક્ષામંત્રી રાજનાથ સિંહે લખ્યું કે મુંબઈ પર 26 નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાની 13મી વરસી પર અમે તે નિર્દોષોને યાદ કરીએ છીએ તેને આપણે ગુમાવી દીધા છે. તે હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ. આપણા સુરક્ષા દળોએ 26/11ના હુમલા દરમિયાન અનુકરણીય સાહસનો પરિચય આપ્યો. હું તેમની બહાદુરી અને બલિદાનને સલામ કરુ છુ.
ગૃહમંત્રીએ પણ આપી શ્રદ્ધાંજલિ
ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ, મુંબઈ 26/11 આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપુ છુ અને તે તમામ સુરક્ષાકર્મીઓના સાહસને સલામ કરુ છે. જેમણે હિંમતથી આતંકવાદીઓનો અડીખમ રહીને સામનો કર્યો. સમગ્ર દેશને તમારી વીરતા પર ગર્વ છે. કૃતજ્ઞ રાષ્ટ્ર હંમેશા તમારા બલિદાનનો ઋણી રહેશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું કે સીમા પર કઠિન વાતાવરણમાં પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરે છે. આતંકવાદી હુમલામાં પોતાના જીવની બાજી લગાવી નિર્દોષોને બચાવે છે. જીવ જ નહીં દેશની પણ ચિંતા કરે છે. પરિવારની, ગામની, દેશની શાન છે. એવા મારા દેશના જવાન છે. 26/11 #MumbaiTerrorAttack ના વીરોને નમન. જય હિંદ