મોદી સરકારની છેલ્લી કેબિનેટ બાદ અધ્યાદેશને મંજૂરી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે દલિત-આદિવાસી અને ઓબીસીને પણ મનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે થયેલી કેબિનેટ બેઠકમાં 13 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમની જગ્યાએ અનામતના જૂના 200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવા માટે અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. SC/ST-OBCને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં જૂની સિસ્ટમ પ્રમાણે અનામતને લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ 50 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાને પણ કેબિનેટ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં આર્થિક મામલે કેન્દ્રીય સમિતિના પશ્ચિમ બંગાળના નારાયણગઢ અને ઓરિસાના ભદ્રક વચ્ચે ત્રીજી રેલવે લાઈનના નિર્માણને મંજૂરી આપી છે.