કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સરકાર સમક્ષ પાકિસ્તાન સરહદમાં ભારતના હવાઈ હુમલાને લઈને પુરાવા માંગ્યા છે. તેમના જણાવ્યા મુજબ જે રીતે અમેરિકાએ ઓસામા ઓપરેશનના નક્કર પુરાવા આપ્યાં હતા, તેવી જ રીતે ભારત સરકારે પણ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 26 ફેબ્રુઆરીએ વાયુસેનાના મિરાજ 2000 વિમાનોએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. મીડિયા રિપોટર્સના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં 350 આતંકીઓ માર્યા ગયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં દાખલ થયાં હતા, જવાબી કાર્યવાહીમાં મિગ 21એ પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યું હતું.