છોટાઉદેપુરમાં નસવાડી નજીકની બ્રાન્ચ કેનાલમાંથી પાણીની ચોરીનો પર્દાફાશ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કોન્ટ્રાકટર ટેન્કર મારફતે પાણીની ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે.
બ્રાંચ કેનાલના લાઇનિંગના કામ માટે પાણીની ચોરી થઇ રહી હતી અને આ કેનાલમાંથી ખેડૂતો માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. પાણી ચોરાતા અનેક સવાલો ઉભા થાય છે કે શું નિગમના અધિકારીઓ પાણી ચોરીથી અજાણ હતા અને કોન્ટ્રાકટરને પાણી ચોરવાની સત્તા કોણે આપેલ તે સહિતના અહી સવાલ થાય છે.
એક બાજુ રાજ્યમાં પાણીની તંગી સર્જાવાને લઇને પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે આવી રીતે પાણી ચોરી થતો હોવાનો પર્દાફાશ થયો છે.