ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે ''ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું પહેલા ટેસ્ટ મેચમાં બેટ્સમેન તરીકે પરફૉર્મન્સ શાનદાર રહ્યું.'' પરંતુ તેની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવતા કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાની હાર માટે તેણે જવાબદારી લેવી જોઇએ.''
નાસિર હુસૈનનું કહેવું છે કે ''ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું પરફૉર્મન્સ શાનદાર હતુ જે રીતે તેણે બેટિંગ કરી તેને જોતા ભારત જીતવું જોઈતું હતું પરંતુ મારું માનવું છે કે તેણે હાર માટે પોતાની જવાબદારી લેવી જોઇએ''
તેણે કહ્યું કે ''ઈંગ્લેન્ડનો સ્કોર સાત વિકેટે 87 રન હતો. સેમ કરન અને આદિલ ક્રિઝ પર હતા ત્યારે અશ્વિનને એક કલાક સુધી બોલિંગ અપાઈ નહીં. ટીમ ઇન્ડિયાએ નિયંત્રણ ગુમાવી દીધું. કોહલીએ પોતાની કેપ્ટનશિપમાં પાછું વળીને જોવું જોઈએ અને કહેવું જોઈએ કે મારી પાસે એવો બોલર છે જેની ડાબોડી બેટ્સમેન સામે 19 રનની એવરેજ છે અને 20 વર્ષનો ડાબોડી બેટ્સમેન રમી રહ્યો છે ત્યારે મેં તેને બોલિંગ કેમ ન આપી.''