બાળકોના ભવિષ્યને ઉન્નત બનાવવા માટે જ્ઞાનનો સંચાર કરનારા શિક્ષકો પાસેથી સમાજને ઘણી અપેક્ષાઓ હોય છે. જો કે, ઘણી વાર આનાથી વિપરીત કિસ્સાઓ પણ સામે આવતા હોય છે.
નાસિકમાંથી એક ધ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો
બારમા ધોરણની છોકરીને પીરિયડ શરૂ થતાં શિક્ષકે અપમાન કર્યું
શિક્ષકે વિદ્યાર્થિનીને છોડ રોપવા ન દીધો, અને સાઈડમાં ઊભી રાખી દીધી
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જે માણસ જાત માટે અત્યંત ધ્રૃણાસ્પદ છે. હકીકતમાં જોઈએ તો, અહીં થોડા દિવસ પહેલા એક વૃક્ષારોપાણના કાર્યક્રમ દરમિયાન એક છોકરીને ફક્ત એટલા માટે ઝાડ રોપવા દેવામાં ન આવ્યું કેમ કે તેના પીરિયડ શરૂ થયા હતા. આ ઘટના દેવાગાંવ આશ્રમ શાળાની છે. આ ઘટનાથી આજૂબાજૂના લોકોના મનમાં ભારે ગુસ્સે ભરાયેલો છે. આ ઘટનાની જાણકારી મળવા પર મહિલા આયોગના અધ્યક્ષ રુપાલી ચાકનકરે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, આ આશ્રમશાળામાં બીજી પણ કેટલીય ખામીઓ જોવા મળી છે, તેની તપાસ થવા પર ટીચર પણ મુશ્કેલીઓમાં મુકાઈ શકે છે.
દેવાગાંવ આશ્રમશાળામાં ઘોર બેરદરકારી
નાસિકના ત્ર્યંમ્બક દેવાગાંવમાં આવેલ આશ્રમશાળામાં એક બારમા ધોરણમાં અભ્યાસ કરતી છોકરી સાથે અજીબોગરીબ ઘટના ઘટી ગઈ. યુવતીને પીરિયડ આવવાના કારણે તેને છોડ રોપતા અટકાવવામાં આવી હતી. હાલમાં આ મામલાની તપાસ કમિશ્નર ઓફિસ તરફથી થઈ રહી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, આ આશ્રમશાળામાં જે શિક્ષકોને અહીં ભણાવવાની જવાબદારી હતી, એતો શાળામાં હાજર જ નથી.
જેવી આ ગેરહાજર શિક્ષકોની ખબર પડી કે, વરિષ્ઠ અધિકારી સ્કૂલમાં આવી ગયા. તેના તુરંત બાદ આ શિક્ષકોએ પણ શાળામાં આવવાનુ શરૂ કર્યું હતું. શિક્ષકોની આવી રીતે ગાડીઓને લઈને ભાગદોડમાં એક વખત એક્સિડન્ટ પણ થયો. સારી વાત છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, અમુક લોકોને સામાન્ય ઈજા થઈ છે.
શું છે કિસ્સો
નાસિકા જિલ્લાના ઈગતપુરી સ્થિત ત્ર્યમ્બક દેવાગાંવ આશ્રમશાળામાં થયેલી આ ઘટનાથી સૌ કોઈ હેરાન છે. વરસાદના કારણે અહીં કન્યા આશ્રમશાળામાં વિદ્યાર્થિનીઓ દ્વારા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શિક્ષકે એક વિદ્યાર્થિનીને છોડ લગાવાની ના પાડી દીધી હતી. શિક્ષકે એવું કહ્યું હતું કે, તારે પીરિયડ શરૂ થયા, જો તું છોડ લગાવીશ તો, ઝાડ મરી જશે. આ પ્રકારની વાહિયાત વાત શિક્ષકે કહી, બાદમાં શિક્ષકે આ છોકરીને એક બાજૂ સાઈડમાં કરી દીધી. જે બાદ છોકરીએ આ વાત તેના માતા-પિતાને કહી. બાદમાં વાલીના કહેવા પર આદિવાસી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી. તે પછી અધિક કમિશ્નક તરફથી દોષિતો પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. આ બાજૂ મહિલા આયોગે પણ તપાસના આદેશ આપ્યા છે.