નાસિક બસ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.
નાસિકમાં પેસેન્જર ભરેલી બસમાં લાગી ભીષણ આગ
આ દુર્ઘટનામાં 11 લોકોના કરૂણ મોત
PM મોદી અને CM શિંદેએ વળતરની કરી જાહેરાત
મહારાષ્ટ્રના નાસિકમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં ટ્રક સાથે અથડાયા બાદ એક બસમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 10 વયસ્કો અને એક બાળકનો સમાવેશ થાય છે. પુણે તરફ જતી આ બસનો નાસિક-ઔરંગાબાદ રોડ પર અકસ્માત થયો હતો. નાસિક પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. નાસિક બસ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.
नाशिक- नांदूरनाका येथे खाजगी बसच्या भीषण अपघातात ११ प्रवाशांचा मृत्यू झाला असून या दुर्घटनेबद्दल मुख्यमंत्री @mieknathshinde यांनी तीव्र दुःख व्यक्त केले आहे. या दुर्दैवी घटनेतील मृतांच्या नातेवाईकांना ५ लाख रुपयांची मदत शासनाच्या वतीने जाहीर करण्यात आली आहे. #Nashik
આ દુર્ઘટનામાં 11 લોકોના કરૂણ મોત
પોલીસે જણાવ્યું કે, નાસિક-ઔરંગાબાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક સાથે અથડાયા બાદ મુસાફરોથી ભરેલી બસમાં ભીષણ આગ લાગી હતી. લક્ઝરી બસ ઔરંગાબાદથી નાસિક તરફ જઈ રહી હતી. આ દરમિયાન નાંદુર નાકા પાસે બસ ટ્રક અથડાઈ હતી અને થોડીવારમાં જ બસમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે 38 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
Maharashtra | A luxury bus & a trailer truck collided with each other. A fire broke out due to the impact. 11 casualties so far. 30 people had started from Yavatmal & 19 people boarded the bus in the middle. They are being identified: Nashik Police Commissioner Jayant Naiknavare pic.twitter.com/xjljXPdM1K
આગ એટલી ભયંકર હતી કે અમે કંઈ ન કરી શક્યા: પ્રત્યક્ષદર્શી
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ ઘટના મારા ઘર પાસે બની હતી. ઘટના બાદ બસમાં આગ લાગી હતી અને લોકો દાઝી ગયા હતા. અમે જોયું પણ કંઈ કરી શક્યા નહીં. બાદમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આવી હતી.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each of the deceased due to the bus fire in Nashik. The injured would be given Rs. 50,000: PM @narendramodi
PM મોદી અને CM શિંદેએ કરી વળતરની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખના વળતરની જાહેરાત કરી છે. તો સીએમ એકનાથ શિંદેએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો રૂ. 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.