બોલીવૂડના પીઢ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરમાં 7 જુલાઇના રોજ નિધન થયુ હતુ. ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી પરંતુ નસીરુદ્દીન શાહે એક એવું નિવેદન આપ્યું છે જેને જાણીને શોક લાગશે.
નસીરુદ્દીને આપ્યું ચોંકાવનારુ નિવેદન
દિલીપ કુમારના ફેન છે નસીરુદ્દીન
સિનેમા જગતમાં દિલીપ કુમારનું કોઇ યોગદાન નહી
નસીરુદ્દીન શાહ પોતે દિલીપ કુમારના ખુબ મોટા ફેન છે પરંતુ જ્યારે ઇન્ડિયન સિનેમાની વાત આવે છે ત્યારે તેમનો ઓપીનીયન અલગ છે. હાલમાં નસીરુદ્દીને એક વાતનો ખુલાસો કર્યો છે.
એક આર્ટિકલમાં નસીરે કહ્યું કે, દિલીપ કુમાર ભારતના મોટા સ્ટાર હતા પરંતુ તેમણે હિન્દી સિનેમા કે કલાકારોને આગળ વધવા માટે કોઇ યોગદાન આપ્યુ નથી. એક્ટરે પોતાના લેખમાં આગળ લખ્યું કે, તેમની એક્ટિંગ નાટકીયતા હતી, તે માનદંડોનું પાલન નહોતા કરતા, દિલીપ કુમારે ભારતીય ફિલ્મોમાં એક પ્રતિમાન સ્થાપિત કર્યુ હતુ જેની નકલ ઘણા એક્ટર કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ કરી શકતા નહોતા.
જે જગ્યાએ દિલીપ કુમાર પહોંચી ગયા હતા ત્યાં પહોંચીને પણ તેમણે એક્ટિંગ સિવાય કંઇ કામ કર્યુ નહોતું. તેનાથી ઉંધુ તે સામાજીક કાર્યો કરતા રહ્યાં હતા.
દિલીપ કુમારથી કોઇને ફાયદો ન થયો
નસીરે કહ્યું કે દિલીપે તેમના કાર્યકાળમાં માત્ર 1 ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. તેમણે ક્યારેય કોઇ ફિલ્મ ડિરેક્ટ કરી નહી અને પોતાના અનુભવોને આગળની પેઢી માટે મૂક્યા નહી. 1970માં આવેલી તેમની ફિલ્મો બાદ આવનારી પેઢી માટે તેમણે કંઇ ખાસ આપ્યુ નહી. તે ઇચ્છતા તો ઘણુ બધુ કરી શકતા હતા પરંતુ તેમણે કંઇ કર્યુ નહી.
નસીરુદ્દીન શાહ અને દિલીપ કુમાર એક જ હોસ્પિટલમાં દાખલ હતા અને સાયરા બાનો નસીરને મળવા આવી હતી. ત્યારે સાયરાએ નસીરના માથે હાથ મૂક્યો અને કહ્યું કે, "સાહેબ તમારા વિશે પૂછી રહ્યાં હતા" બુધવારે દિલીપ કુમારે હિન્દુજા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
નસીરે જતાવ્યું દુઃખ
નસીરુદ્દીન શાહે દિલીપ કુમારના નિધન પર દુઃખ જતાવતા કહ્યું કે, જે દિવસે મને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો તે દિવસે જ દિલીપ કુમારે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ.
દિલીપ કુમારના ઘરે રોકાયા હતા
નસીરુદ્દીન પોતાના સ્ટ્રગલના સમયમાં દિલીપ કુમારના ત્યાં રોકાયા હતા. તે દિવસોમાં નસીર પોતાનું નસીબ આજમાવી રહ્યાં હતા અને ઘર છોડીને એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવા માટે મથી રહ્યાં હતા. દિલીપ કુમારને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેમણે નસીરુદ્દીનને કહ્યું હતુ કે, મને લાગે છે તારે ઘરે પાછુ જતુ રહેવું જોઇએ અને ભણવું જોઇએ. સારા ઘરના લોકોએ અભિનેતા બનવાનો પ્રયત્ન ન કરવો જોઇએ.