મુંબઇઃ દેશમાં ટોળા દ્વારા ફેલાવવામાં આવતી હિંસાને લઈને ડરનો માહોલ છે. ખાસ કરીને મોબ લિંચીગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સામાજિક સહિષ્ણુતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ધીમે ધીમે ભારત પર સાંપ્રદાયિક તાકાતનું વર્ચસ્વ વધી રહ્યો હોય તેમ ટોળા દ્વારા કોઈને પણ શિકાર બનાવવામાં આવે છે. તાજેતરમાં જ યુપીના બુલંદ શહેરમાં ટોળાએ પોલીસ અધિકારની હત્યા નિપજાવી છે ત્યારે ભીડ દ્વારા હિંસા પર અભિનેતા નસીરુદ્દીન શાહે મોટું નિવેદન આપ્યું હતું.
નસીરુદ્દીને જણાવ્યું કે મારા સંતાન વિશે મને હંમેશા ચિંતા થાય છે. કારણ કે ભીડ તેને ઘેરી લેશે તો તે પોતાનો ક્યો ધર્મ ગણાવશે? મારા સંતાનો નહીં કહી શકે કે તેમનો ધર્મ ક્યો છે. કેમ કે અમે અમારા બાળકને ધર્મનું શિક્ષણ આપ્યું નથી. માણસાઈને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી. ધર્મ-જાતિનું ઝેર સમાજમાં ફેલાઈ ચુક્યું છે. આ ભેદભાવનું ઝેરને નાબૂદ કરવું હવે ખૂબ મુશ્કેલ છે. કેટલાક લોકોને કાયદો હાથમાં લેવાની ખુલ્લી છૂટ મળી ગઈ છે. ઈન્સપેક્ટરના મોત કરતા ગાયના મોતને વધારે મહત્વ અપાઈ રહ્યું છે.
મહત્વનું છે કે નસીરુદ્દીન શાહના પત્ની રત્ના પાઠક ગુજરાતી છે. નસીરુદ્દીન શાહના પત્ની રત્ના પાઠક ગુજરાતી છે. એક ઈન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે ભીડની હિંસા પર નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે મેં ધાર્મિક શિક્ષણ મેળવ્યું પણ રત્નાને ધાર્મિક શિક્ષણનો અનુભવ નથી. દેશ ધર્મ અને જાતિવાદનો શિકાર બની રહ્યો છે. શું આપણે જાતિ-ધર્મ ભુલી માણસ ના બની શકીએ ?
નસીરુદ્દીન શાહની ટિપ્પણીમાં આંચકો છે: 'એક કોપ કરતાં ગાય વધુ મહત્ત્વપૂર્ણ છે; મને મારા બાળકો માટે ભારતનો ભય છે '