અમેરિકામાં નાસાના એઇમ્સ રિસર્ચ સેન્ટરમાં તૈયાર કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તંત્રિકા સંબંધિત કમીની જાણ માટે એક વિશ્વસનીય અને સંવેદનશીલ ઉપકરણ બનાવવા માટે આંખોની ગતિવિધિની જાણ કરનાર એક સેટનો ઉપયોગ કરાય છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક એવું પરીક્ષણ તૈયાર કર્યું છે, જેના માધ્યમથી આંખોની ગતિવિધિ જોઇને ઊંઘની કમીની જાણ થઇ શકશે. સંશોધકોએ જણાવ્યું કે રસ્તા પર થતા ૩૦ ટકા અકસ્માત ઊંઘની કમીના કારણે થાય છે. તેની સાથે તબાહી મચાવી દેતા સંકટ પણ આવે છે, જેમ કે ચર્નોબિલ પરમાણુ સંકટ. સાઇકોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે આંખોની ગતિવિધિના આધાર પર કરાયેલા પરીક્ષણથી ઊંઘમાં કમીની સ્પષ્ટ જાણ થઇ શકશે.
અમેરિકામાં નાસાના એઇમ્સ રિસર્ચ સેન્ટરમાં તૈયાર કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તંત્રિકા સંબંધિત કમીની જાણ માટે એક વિશ્વસનીય અને સંવેદનશીલ ઉપકરણ બનાવવા માટે આંખોની ગતિવિધિની જાણ કરનાર એક સેટનો ઉપયોગ કરાય છે. મહત્ત્વપૂર્ણ રીતે તેના માધ્યમથી આલ્કોહોલ કે મગજની ઇજાના કારણે ઊંઘમાં આવેલી કમીને ઓળખી શકાય છે.
પરીક્ષણ માટે સંશોધકોએ સૌથી પહેલાં બે અઠવાડિયાં સુધી રાત્રે સાડા આઠ કલાકની ઊંઘ કરવા અને આલ્કોહોલ, કોઇ પણ પ્રકારનાં ડ્રગ અને કેફીનથી દૂર રહેવાનું કહ્યું, જેથી પ્રયોગ શરૂ થતાં પહેલાં પ્રતિભાગીઓને સંપૂર્ણ રીતે સામાન્ય કરી શકાય.
ત્યારબાદ પ્રતિભાગીઓને થાકની સાથે ૨૮ કલાક સતત જગાડવામાં આવ્યા. તેમાં જોવા મળ્યું કે આંખોની ગતિવિધિ દિવસ અને રાતમાં કયા પ્રકારે બદલાઇ. આધુનિક ટેક્િનકના માધ્યમથી સંશોધકોએ પ્રતિભાગીઓની આંખોમાં અલગ અલગ સમયે અલગ અલગ ગતિવિધિની ઓળખ કરી. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે આ રીતે તેમણે પોતાના પરીક્ષણથી વિવિધ સ્તર પર અને વિવિધ દશામાં આંખોની ગતિવિધિ કેવી હોય તેની ઓળખ પણ કરી. આ માધ્યમથી એ પણ જાણી શકાશે કે વ્યક્તિમાં ઊંઘની કમી છે કે નહીં.