દિવાળી બાદથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધવા પાછળ આતિશબાજીને જવાબદાર ગણાવવામાં આવી રહી હતી. પરંતુ અમેરિકન અંતરિક્ષ એજન્સી ‘નાસા’એ પોતાના રિપોર્ટમાં આના માટે ફટાકડા નહીં પણ પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાને જવાબદાર ગણાવ્યું છે.
74,000 થી વધારે હોટસ્પોર્ટ મળ્યાં
NASAના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 16 નવેમ્બરે ‘વિજિબલ ઈન્ફ્રરેડ ઈમેજિંગ રેડિયોમીટર સૂટ ’સેન્સરે પંજાબમાં 74 હજારથી વધારે હોટસ્પોર્ટ શોધ્યા. આ સંખ્યા 2016માં શોધાયેલા 85000 હોટસ્પોર્ટ બરાબર હતી. 11 નવેમ્બરે નાસાએ જોયું કે પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાથી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવાની ગુણવત્તામાં તેજીથી ઘટાડો આવ્યો છે.
અમેરિકન એજન્સીએ જણાવ્યું કે પરાળી સળગાવવાના કારણે 11 નવેમ્બરે 2021એ સુઓમી એનપીપી ઉપગ્રહ પર વિજિબલ ઈન્ફ્રરેડ ઈમેજિંગ રેડિયોમીટર સૂટે પંજાબ અને હરિયાણાની આગના ગોટા દિલ્હી જતા જોયા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં લાગેલી આગનું પણ આમાં ભારે યોગદાન છે.
2.2 કરોડ લોકો અસરગ્રસ્ત
નાસાના માર્શલ સ્પેસ ફ્લાઈટ સેન્ટરમાં કામ કરનારા પવન ગુપ્તાએ જણાવ્યું કે એકલા 11 નવેમ્બરની પરાલીથી પેદા થયેલા ધુમાડાથી ઓછામાં ઓછા 2.2 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. ત્યારે નાસાએ કહ્યું કે એક્કા ઉપગ્રહ પર મોડરેટ રેજોલ્યૂશન ઈમેજિંગ સ્પેક્ટ્રોમાડોમીટરનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિક હિરેન જેઠવાએ જણાવ્યું કે આની પહેલા ગર્મીઓમાં અમે 20થી વધારે વર્ષોના રેકોર્ડના સૌથી મોટા અંતર વનસ્પતિ સૂચકાંકને જોયો હતો. તેના આધાર પર મે ભવિષ્યવાળી કરી હતી કે આ અત્યાર સુધીના સૌથી સક્રિય આગના મૌસમોમાંથી એક હશે અને બરાબર એવું જ થયું.