NASAએ 1972માં પોતાના અપોલો 17 ચંદ્ર મિશનને આધારે 3 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલ્યા હતા. તેમાંથી 2ને ચંદ્રની કક્ષાથી માટી અને ચટ્ટાનોના નમૂના મળ્યા હતા.
NASAએ 1972માં કર્યું હતું અપોલો 17 ચંદ્રમિશન
3 અંતરિક્ષ યાનને મોકલ્યા હતા ચંદ્ર પર
2ને મળ્યા ચંદ્રની કક્ષાથી માટી અને ચટ્ટાનોના નમૂના
ચંદ્રના રહસ્યોને શોધવા માટે અને સાથે જ પાણી અને જીવનની સંભાવનાઓને માટે સ્પેસ એજન્સીઓ અનેક વર્ષોથી શોધ કરી રહી છે. જેના આધારે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ 47 વર્ષ બાદ પોતાના રહસ્યો ખોલ્યા છે. જેમાં ચંદ્રની કક્ષાની માટી અને ચટ્ટાનોના સેમ્પલ સંગ્રહાયેલા છે. 1972માં નાસાનું અપોલો 17 ચંદ્ર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે તેના આધારે શોધ કરીને 2024માં લોન્ચ થનારા આર્ટિમિસ મિશનને માટે તેનો ઉપયોગ કરશે.
આ અંતરિક્ષ યાત્રીઓ ગયા હતા ચંદ્રની મુલાકાતે
નાસાએ 1972માં પોતાના અપોલો 17 ચંદ્ર મિશનના આધારે 3 અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલ્યા હતા. તેમાં યૂગીન સરનન, હૈરસિથ સ્મિથે ચંદ્રની કક્ષા પરથી માટી અને ચટ્ટાનોના નમૂના લીધા હતા. નાસાના દરેક અપોલો મિશનના આધારે ચંદ્રની કક્ષાએથી લગભગ 386 કિલોગ્રામ નમૂના લાવવામાં આવ્યા હતા.
ચંદ્ર પરથી લવાયા હતા 386 કિલોગ્રામ નમૂના
નાસાએ 5 નવેમ્બરે તેમાંથી કેટલાક નમૂનાઓને ખોલ્યા હતા. તેને હ્યૂસ્ટનના નાસાના જોનસન સ્પેસ સેન્ટરની લૂનર કયૂરેશન લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોએ તપાસ્યા. નાસાનું માનવું છે કે ભવિષ્યમાં અધ્યયન અને સારી ટેકનિકો વિકસાવવામાં આવશે તો તેને શોધી લેવામાં આવશે.
ભવિષ્યના અભિયાનોમાં મળશે મદદ
નાસાના વૈજ્ઞાનિક ડોક્ટર સારાહ નોબલે કહ્યું કે આ સમયે અમે એ શોધ કરવામાં સક્ષમ જે તે સમયે કરી શકતા ન હતા. જ્યારે નમૂના લાવવામાં આવ્યા હતા ત્યારે તેના અનુસાર અધ્યયનથી ભવિષ્યમાં થનારા ચંદ્ર અભિયાનમાં ઉપયોગમાં લેવાનારી ટેકનિક અને વૈજ્ઞાનિક શોધમાં મદદ મળશે. તેનાથી નવી સંભાવનાઓ પણ શોધી શકાશે.
અન્ય સેમ્પલને જાન્યુઆરી 2020માં ખોલવામાં આવશે
નાસાએ દરેક નમૂનામાંથી 2 સેમ્પલ અધ્યયન માટે લીધા છે. જેના વૈજ્ઞાનિક નામ 73002 અને 73001 આપવામાં આવ્યા છે. 73002ને નાસાના વૈજ્ઞાનિકોએ ખોલ્યા છે અને 73001ને જાન્યુઆરી 2020માં ખોલવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બંને નમૂનાને 2 ફૂટ લાંબા ટ્યૂબમાં લેવામાં આવ્યા હતા. તેને ચંદ્રના લારા ક્રેટરની પાસે ભૂસ્ખલનની સાઈટ પરથી લેવામાં આવ્યા હતા. નાસાએ તેને ખોલતા પહેલાં તેનો એક્સરે લીધો હતો. આ સેમ્પલ એક ડબ્બામાં રાખવામાં આવ્યા હતા. તેની અંદર સૂકો નાઈટ્રોજન છે. આવું તેને ખરાબ થતું અટકાવવા માટે કરવામાં આવ્યું છે.