એલિયન્સની ગુથ્થી હજી સુધી ઉકેલાઈ રહી નથી ત્યારે આ ગાંઠને ઉકેલવા માટે NASA એ મોટી તૈયારીઓ હાથ ધરી છે.
એલિયન્સ સાથે વાતચીત કરવાનો મોટો પ્લાન
કરી રહ્યું છે પૂજારીઓની ભરતી
NASA ની યાદીમાં રેવરેન્ડ ડૉ. એન્ડ્ર્યુ ડેવિસનનું નામ સામેલ
વાત જાણીને કદાચ તમને કોઈ ફિલ્મની વારતા હોય તેવુ લાગશે પરંતુ વાસ્તવમાં નાસા એલિયન્સનો સંપર્ક શાધવા માટે રાત-દિવસ એક કરી રહ્યું છે. માટે નાસામાં હાલ પૂજારીઓની ભરતી કરવામાં આવી રહી છે. આપને થશે કે પૂજારીઓને નાસા અંતરિક્ષમાં મોકલશે કે શું ? પરંતુ હાલ એવો કોઈ જ પ્લાન નાસા કરી રહ્યું નથી.
NASA ની યાદીમાં રેવરેન્ડ ડૉ. એન્ડ્ર્યુ ડેવિસનનું નામ સામેલ
નાસાની પૂજારીઓની ભરતીમાં બ્રિટિશ પાદરી રેવરેન્ડ ડૉ. એન્ડ્ર્યુ ડેવિસનનું નામ પણ સામેલ છે. રેવરેન્ડ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના એક ધર્મશાસ્ત્રી છે. તેમણે બાયો-કેમેસ્ટ્રીમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.
ધર્મશાસ્ત્રી કોણ હોય છે?
બ્રિટિશ કોલિન્સ ડિક્શનરીના જણાવ્યા અનુસાર, એક ધર્મશાસ્ત્રી તે હોય છે જે ભગવાનના નેચર,ધર્મ અને ધાર્મિક વિશ્વાસોની સ્ટડી કરે છે.
પૃથ્વીની બહાર જીવનની શક્યતા?
રેવ. ડૉ. ડેવિસન માને છે કે આ દુનિયામાંથી જીવન શોધવાની શક્યતાઓ વધુ ને વધુ બની રહી છે. ડેવિસનના પુસ્તક, એસ્ટ્રોબાયોલોજી એન્ડ ધ ક્રિશ્ચિયન ડોક્ટ્રિનમાં તે પ્રશ્ન પૂછે છે: શું ઈશ્વરે બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન બનાવ્યું હશે?
ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે
અવકાશના એકમાત્ર ગ્રહ પૃથ્વી પર જીવનના અસ્તિત્વનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ આકાશગંગામાં 100 અબજથી વધુ તારાઓ અને બ્રહ્માંડમાં 100 અબજથી વધુ તારાવિશ્વો હોય ત્યારે તે અગમ્ય છે. એટલે કે પૃથ્વી સિવાય આ બ્રહ્માંડમાં પણ જીવન હોઈ શકે છે.
ભવિષ્ય માટે અત્યારથી તૈયારીઓ જરૂરી
તેમનું માનવું છે કે, મહત્વનું છે કે, જ્યારે પણ એલિયન્સની શોધ હોય તો તેને લઈને અમારી સંપૂર્ણ તૈયારીઓ હોવી જોઈએ, મતલબ કે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખતા આ વિષય માટે એડવાન્સ તૈયારી કરી લેવી જોઈએ.