અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)નું કાર્ગો શીપ સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષમાં અટક્યું છે. પહેલાં આ યાન 3 જાન્યુઆરીએ જમીન પર ઉતરવાનું હતું પરંતુ હવે 5 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થશે અને 7 જાન્યુઆરીએ પૃથ્વી પર આવશે. આ કાર્ગો શિપમાં વૈજ્ઞાનિક પ્રયોગના ઉપકરણો સિવાય એક ઉંદર પણ છે. આખરે શું કારણ હતું કે જેના કારણે તે સ્પેસએક્ટ ડ્રેગન કાર્ગો શિપનું પૃથ્વી પર ઉતરાણ રોકાઈ ગયું હતું.
Due to a forecast of bad weather in the splashdown zone, the return of @SpaceX’s Dragon resupply spacecraft from the @Space_Station is delayed until Tuesday, Jan. 7.
નાસાનું આ કાર્ગો શિપ સ્પેસએક્સ ડ્રેગન 5 જાન્યુઆરીએ રાતે 9.15ના સમયે સ્પેસસ્ટેશનથી રવાના થશે. તેને સીધું પૃથ્વી પર નહીં લાવવામાં આવે. તે પૃથ્વીની આસપાસ આંટા મારશે અને કૈલિફોર્નિયાના લોન્ગ બીચથી દૂર પ્રશાંત મહાસાગરમાં પડશે.
હાલમાં અહીં અટક્યું છે આ કાર્ગો શિપ
ઈન્ટરનેશનલ સ્પેસસ્ટેશનના કનાડા આર્મ-2માં અટક્યું છે. આ આર્મની મદદથી કાર્ગો શિપ કે અન્ય એસ્ટ્રોનોટ્સના શિપને સ્પેસસ્ટેશનથી જોડવામાં આવે છે. આ માટે સ્પેસ સ્ટેશન પર ડોકિંગ હોય છે.
જાણો શું છે કાર્ગો શિપમાં...
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાનું કાર્ગો શિપ સ્પેસએક્સ ડ્રેગનમાં 3600 પાઉન્ડ એટલે કે 1632 કિલોના જરૂરી વૈજ્ઞાનિક ઉપકરણ, પ્રયોગશાળાઓમાં ઉપયોગમાં લેવાયેલા કેમિકલ વગેરે છે. આ સાથે તેમાં એક ઉંદર, ખરાબ બેટરીઓ અને એક માઈક્રોસ્કોપિક જીવ છે. આ શિપમાં મોકલાનારો સામાન એસ્ટ્રોનોટ્સ ક્રિસ્ટીના કોચ અને જેસિકા મીરે રાખ્યો હતો. બંને હાલમાં સ્પેસ સ્ટેશન પર જ છે.
રેડિએશનથી લડનારું કેમિકલ પણ
આ કાર્ગો શિપમાં રેડિએશનથી લડી શકે તેવું કેમિકલ પણ રાખવામાં આવ્યું છે. તેનાથી ખ્યાલ આવે છે કે પૃથ્વીના માણસો પર ઓછી તીવ્રતાના રેડિએશનની શું શું અસર થાય છે અને તેનાથી બચવા માટે શું શું કરવાનું રહેશે.
કાર્ગો શિપમાં એક ઉંદર પણ છે
નાસાના કાર્ગો શિપ સ્પેસએક્સ ડ્રેગનમાં એક ઉંદર પણ છે. તેને એટલા માટે સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યો હતો જેથી અંતરિક્ષમાં રહેતી સમયે શરીર પર થતા બદલાવનું અધ્યયન કરી શકાય. તેનો ફાયદો એ થશે કે પૃથ્વી પર માંસપેશીઓ અને હાડકાંથી જોડાયેલી બીમારીઓની સરળતાથી સારવાર થઈ શકશે.
માઈક્રોસ્કોપિક જીવ પણ ફસાઈ ગયું અંતરિક્ષમાં
માઈક્રોસ્કોપિક જીવ એદિનેટા પણ આ કાર્ગો શિપમાં છે. નાસાના વૈજ્ઞાનિકોએ તેને અંતરિક્ષ સ્ટેશન પર એટલા માટે મોકલ્યું હતું કે તેની પર રેડિએશનની શું અસર થાય છે તે જાણી શકાય.
આખરે શા માટે યાન અંતરિક્ષમાં અટક્યું?
હાલમાં કૈલિફોર્નિયામાં વાતાવરણ સારું નથી. આ કારણે સ્પેસએક્ટનું ઉતરાણ 4 દિવસ માટે રોકી દેવામાં આવ્યું છે. અમેરિકાના હવામાન વિભાગના અનુસાર લેન્ડિંગ માટે કૈલિફોર્નિયાની પાસેના પ્રશાંત મહાસાગરમાં હવામાન ખરાબ છે. એવામાં કાર્ગો શિપને વધારે નુકસાન થઈ શકે છે.