કચ્છની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. ભચાઉ નજીક ભરૂડિયા ખાતે નર્મદા કેનાલમાં ભંગાણ પડ્યું છે. જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. અને જમીનનું પણ ધોવાણ થઇ ગયું છે. કચ્છ બ્રાંચ કેનાલનું ભચાઉ તાલુકામાં કાર્ય શરૂ કર્યું ત્યારથી જ બાંધકામ નબળું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે પાણીનો પ્રવાહ વધુ નથી છોડાયો છતા પણ કેનાલની આ હાલત થઇ ગઇ છે.