સૌરાષ્ટ્રના જેતપુર, ભાયાવદર અને તેની આસપાસના વિસ્તારમાં ભેદી ધડાકાનો કિસ્સો સામે આવ્યો જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પ્રકાશિત વસ્તુના દ્રશ્યોથી લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે
સૌરાષ્ટ્રમાં અવકાશમાં ભેદી ધડાકાનો મામલો
વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા
ભેદી ધડાકામાં મામલે વૈજ્ઞાનિકોએ આપ્યો મત
સૌરાષ્ટ્રના જેતપુર, ભાયાવદર અને તેની આસપાસના વિસ્તારમાં ભેદી ધડાકાનો કિસ્સો સામે આવ્યો જેને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જ્યારે એક તરફ કુતૂહલ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. આકાશમાં આકર્ષક વસ્તુ દેખાય તેને લઈને લોકો અવનવી વાતો કરતા થઈ ગયા છે, કેટલાક લોકો એને એલિયન પણ માની રહ્યા છે
વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા
આકાશમાં રહસ્યમય અને પ્રકાશિત વસ્તુ દેખાતા ભાયાવદરના લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે. લોકો પોતાના ઘરેથી બહાર આવી ગયા હતાં. તેમજ વંથલી અને માણાવદરમાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા છે. એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળી છે. લોકોએ મોબાઇલમાં પણ તેના દ્રશ્યો કેદ કર્યા છે. પ્રકાશિત વસ્તુના દ્રશ્યોથી લોકોમાં અનેક સવાલ ઉઠ્યા છે. પરંતુ હજુ સુધી આ રહસ્ય અકબંધ છે. તેના વિશે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યાં છે.
ભેદી ધડાકામાં મામલે વૈજ્ઞાનિકોએ આપ્યો મત
આકાશમાં જોવા મળેલી પ્રકાશિત વસ્તુને લઈ હવે વૈજ્ઞાનિકોએ પોતાનો મત આપ્યો છે ખગોળ વિજ્ઞાન આ ઘટનાને કોઈ ઉલ્કા કે UFO માનતું નથી બલ્કે સૌરાષ્ટ્રના અવકાશમાં ભેદી ધડાકા મામલે ખગોળ વૈજ્ઞાનિક ડો.સી.એમ.નાગરાનીએ કહ્યું- આ કોઇ ખગોળીય ઘટના કે કોઇ ઉલ્કા કે UFO નથી, મનુષ્ય દ્વારા બનાવેલ કોઇ યંત્ર હોઇ શકે જ્યારે વૈજ્ઞાનિક નરોત્તમ શાહુનું નિવેદન આપતા જણાવ્યું કે આકાશમાં કોઈ ઘટના બને કો કુતૂહલ થાય છે, આકાશમાં અલગ અલગ ઓર્બિટ કામ કરતા હોય છે. કોઈ સેટેલાઈટ કે સેટેલાઈટની લાઈટ હોઈ શકે તેવું જણાવી રહ્યા છે.
સેટેલાઈટ કે સેટેલાઈટની લાઈટ હોઈ શકે : વૈજ્ઞાનિક
તેમણે વધુમાં કહ્યું કે 2019માં આ પ્રકારની ઘટના સામે આવી હતી આ કોઈ ઉલ્કાપીંડ નથી કેમ કે ચોમાસું છે એટલે આકાશ સ્વચ્છ દેખાય છે એટલે સેટેલાઈટ કે સેટેલાઈટની લાઈટ હોઈ શકે છે. વૈજ્ઞાનિક નવરોત્તમ શાહુ આગળ જણાવે છે કે અંતરિક્ષમાં 2થી3 હજાર સેટેલાઈટ 300થી 400 કિ.મીના અંતરે આકાશમાં હોય છે ત્યારે સૌરાષ્ટ્રના અવકાશમાં જોવા મળેલા ભેદી ધડાકા મામલે તેઓ જણાવે છે આ ખરેખર આકાશમાં દેખાયા છે કે આ વીડિયો વાયરલ છે તેનો ટેસ્ટ કરાવવો પડશે.