અમદાવાદ: નરોડા પાટિયા હત્યાકાંડ મામલે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરેલ લોકોને આજે જેલમુક્ત થયા છે. અમદવાદ સેન્ટ્રલ જેલમાંથી લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. વર્ષો બાદ નિર્દોષો જેલમુક્ત થતાં પરિવારજનો બીડુ લઇ સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા. સેન્ટ્રલના સુપરિટેન્ડેન્ટની મંજૂરી બાદ નિર્દોષોને જેલમુક્ત કરવામાં આવ્યા.
ગુજરાત હાઇકોર્ટે આજે 2002ના નરોડા પાટિયા કેસમાં પોતાનો ચુકાદો સંભળાવી દીધો હતો. જણાવી દઇએ કે નીચલી કોર્ટે ભાજપ વિધાયક માયા કોડનાની અને બાબૂ બજરંગી સહિત 32 લોકોને દોષિત ગણવામાં આવ્યા હતા. પરંતુ શુક્રવારે હાઇકોર્ટે માયા કોડનાની નિર્દોષ જેહાર કર્યા હતા અને બાબુ બજરંગીને 21 વર્ષની સજા થઇ હતી. જ્યારે 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2002માં થયેલા તોફાનો દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ તોફાનોમાં 33 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ ઘટનાને ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના એક દિવસ બાદ અંજામ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદને બંધનું આહ્વાન કર્યું હતું.