અમદાવાદઃ નરોડા પટિયા રમખાણમાં ક્લીન ચિટ મળ્યા બાદ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા માયા કોડનાની શુક્રવારે પોતાના ઘરમાં બંધ રહી હતી. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોડનાની અમદાવાદના પૉશ શ્યામલ વિસ્તારમાં પોતાના બંગલામાં રહે છે.
મળતી માહિતી અનુસાર જ્યારે હાઇકોર્ટનો આ ચુકાદો આવ્યો તો માયા કોડનાની રડવા લાગી હતી. કોડનાનીના સુરક્ષા ગાર્ડના જણાવ્યું કે ચુકાદો આવતાના અંદાજિત કલાક સુધી તે રડતી રહી હતી. ત્યારબાદ તેમને કેટલાક ફોન કોલ પણ આવ્યા.
અંગ્રેજી સમાચાર પત્રના જણાવ્યા અનુસાર અમેરિકામાં સોફ્ટવેર એન્જિનીયર તેમના દિકરા મોનિશને ફોન કર્યો હતો. આ સિવાય માયા કોડનાનીની પાસે તેમની પહેન લતા અને ભાઇ નારાયણ મેઘાણીનો પણ ફોન આવ્યો હતો.