અમદાવાદઃ 2002નાં નરોડા પાટિયા કેસ મામલે આજે 3 દોષીઓને ગુજરાત હાઇકોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. હાઇકોર્ટની હર્ષા દેવાની અને એસ સુપેહિયાની બેંચ મામલમાં ત્રણ આરોપીઓ પી.જે. રાજપૂત રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડની કિસ્મતનો નિર્ણય કરશે.
આ પહેલાં વર્ષ 2012નાં એક ચુકાદામાં 3 દોષીઓ- પી.જી રાજપૂત રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડ સહિત અન્ય 29 લોકોને પણ એસઆઇટીની વિશેષ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધાં હતાં.
જો કે હાઇકોર્ટે આ અરજીઓ પણ સુનાવણી દરમ્યાન 20 એપ્રિલનાં રોજ આ ત્રણેય આરોપીઓને દોષી જાહેર કર્યા હતાં અને અન્ય 29 લોકોને મુક્ત કરી દીધાં હતાં. ખંડપીઠે આ દોષિઓની સજાનાં સમય પર આદેશ સુરક્ષિત રાખ્યો હતો.
તમને જણાવી દઇએ કે આ જ મામલામાં આ વર્ષે હાઇકોર્ટે 20 એપ્રિલનાં આદેશમાં BJP નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાનીને મુક્ત કરી દીધાં હતાં. જ્યારે બજરંગ દળનાં પૂર્વ નેતા બાબુ બજરંગીને દોષી જાહેર કરી 21 વર્ષની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનીય છે કે 16 વર્ષ પહેલાં 28 ફેબ્રુઆરી 2002નાં રોજ અમદાવાદનાં નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો કાંડ થયો હતો. 27 ફેબ્રુઆરી 2002નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં ડબ્બાઓ પણ સળગાવ્યાં બાદ બીજા જ દિવસે ગુજરાતમાં ચારે બાજુ કોમી રમખાણો થઇ ગયા હતાં. જેમાં નરોડા સંપૂર્ણ રીતે ભડકે બળ્યું હતું. તમને જણાવી દઇએ કે નરોડા પાટિયા કેસમાં થયેલ કોમી રમખાણમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં 33 લોકો ઘાયલ થયાં હતાં.
જાણો શું છે નરોડા પાટિયા કેસઃ
2002માં થયેલા તોફાનો દરમિયાન નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ તોફાનોમાં 33 લોકો ઘાયલ થઇ ગયા હતા. આ ઘટનાને ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાનાં એક દિવસ બાદ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હકીકતમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું આહ્વાન કર્યું હતું.
જાણો ક્યારે શું થયું હતું?
25 ફેબ્રુઆરી 2002: અયોધ્યાથી 2000 થી વધારે કારસેવક સાબરમતી એક્સપ્રેસથી અમદાવાદ જવા માટે બેઠા હતા.
27 ફેબ્રુઆરી 2002: ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ 4 કલાક મોડી પહોંચી. અહીંયા એક ભીડે ટ્રેનને ઘેરાવો કરીને આગ લગાવી દીધી હતી. જેમાં 59 કારસેવકોનો મોત થઇ ગયા હતા.
28 ફેબ્રુઆરી 2002: VHPએ ગોધરા કાંડ વિરોધમાં બંધનું આહ્વાન કર્યું હતું. એ દરમિયાન ઉગ્ર ભીડે નરોડા પાટિયા વિસ્તારમાં હુમલો કર્યો હતો.
2009માં શરૂ થયો કેસ
ઓગસ્ટ 2009માં નરોડા પાટિયા કાંડનો કેસ શરૂ થયો હતો. એમાં 62 આરોપીઓનિ વિરુદ્ધ આરોપ દાખલ કરવામાં આવ્યા હતા. સુનવણી દરમિયાન એક અભિયુક્ત વિજય શેટ્ટીનું મોત થઇ ગયું હતું. કોર્ટે સુનવણી દરમિયાન 327 લોકોના નિવેદન દાખલ કર્યા હતા. એમાં પત્રકાર ઘણા ઘાયલ લોકો પોલિસ અધિકારી અને સરકારી અધિકારીઓ પણ સામેલ હતા.
2012માં સ્પેશિયલ કોર્ટે સંભળાવી સજા
ઓગસ્ટ 2012માં એસઆઇટી કેસ માટે વિશેષ કોર્ટે ભાજપ ધારાસભ્ય અને રાજ્યની નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વ મંત્રી માયા કોડનાની અને બાબૂ બજરંગીને હત્યા અને ષડયંત્ર રચવા માટે દોષિત માનવામાં આવ્યા.
આરોપીઓએ હાઇકોર્ટમાં આપ્યો પડકાર
વિશેષ કોર્ટે ચુકાદા બાદ દોષિયોને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. સુનવણી પૂરી થયા બાદ ઓગસ્ટ 2017માં કોર્ટે પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો.
હાલમાં જાણો કોણે કેટલી સજા?
માયા કોડનાનીને પુરાવાનાં અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં.
બાબુ બજરંગીને દોષિત જાહેર કરાતા જીવનપર્યન્ત આજીવન કારાવાસની સજા આપવામાં આવી.
અન્ય 7 લોકોને 21 વર્ષની આજીવન કારાવાસની સજા સંભાળાવાઇ.
અન્ય 14 લોકોને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ થયેલા ત્રણ લોકોને દોષિત જાહેર કર્યા છે.