રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે નર્મદા નદીનું ગોલ્ડન બ્રિજ ખાતે જળસ્તર 30 ફૂટ પર પહોંચ્યું. જેને લઈને NDRF અને SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી. ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની આવક થઈ. પાણીની જળસપાટી વધતા ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 936 લોકોનું સ્થળાંતર કરાયુ તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા.