નર્મદા: ગુજરાતની જનતાને પાણીની સમસ્યાનો અંત આવી રહ્યો છે. એક સમયે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની અછત સર્જાઇ હોવાની પરિસ્થિતિ હતી જેનાંથી વિપરીત હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 58526 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં ડેમની સપાટી 122.06 મીટર પર પહોંચી છે. ડેમમાં દર કલાકે ત્રણ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.
આપને જણાવી દઇએ કે નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં ગુજરાત સહિત અન્ય રાજયોને પાણી આપવામાં સક્ષમ બન્યો છે. ડેમના CHPH પાવર હાઉસના 2 યુનિટ ચાલુ કરાયા છે. ગુજરાતને મેન કેનાલમાંથી 9000 કયુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ડેમમાં 1610.MCM લાઈવ પાણીનો જથ્થો હાજર છે.
અત્રે જણાવી દઇએ કે કેચમેન્ટ એરિયામાં છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને લઈને ઉપરવાસમાંથી 2.25 લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું જેને લઈને 4.5 મીટર સપાટી વધી હાલ 409 ક્યુબીક મીટર સંગ્રહ થયો છે. એટલે હાલ પાણીની સપાટી 114.72 મીટર થઈ છે. પ્રતિ કલાકે 3 સે.મી નો વધારો નોંધાઇ રહ્યો છે.
એક તરફ રાજ્યમાં વરસાદ મોડો પડવાને કારણે નર્મદા બંધ સહિત 204 જળાશયોમાં માત્ર 29.58 ટકા પાણી બચ્યું હતું.જેમાં નર્મદા બંધમાં 31.73 ટકા પાણીનો જથ્થો બચ્યો હતો. ત્યારે આજરોજ મળેલ સમાચાર મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે સરદાર ડેમની સપાટીમાં વધારો થયો હતો.