ગાંધીનગર: રાજયમાં પીવાના પાણીના સંકટને પહોંચી વળવા આજે પાટનગર ગાંધીનગરમાં એક બેઠક યોજાનાર છે. અમદાવાદને શેઢી કેનાલમાંથી મળતું 200 એમએલડી પાણી ચાલુ રાખવા માટે કેનાલુ રીપેરીંગ રોકવા માટે આ બેઠકમાં રજૂઆત કરાશે.
આ બેઠકમાં સચિવ કક્ષાના અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં નર્મદાના પાણીના લેવલ તેમજ અમદાવાદ શેઢી કેનાલનું રિપેરિંગ રોકવા સહિત પાણીના વિવિધ સ્ત્રોત મુદ્દે ચર્ચા થશે. જો કે પાણી કાપને પહોંચી વળવા શહેરમાં નવા 30થી વધુ બોર બનાવવાનું મ્યુનિ.એ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ૧૫ માર્ચથી ખેડૂતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતો આજથી જળ આંદોલન કરવાના છે.