બોટાદ: પ્રધાનમંત્રી દ્વારા એપ્રિલ ૨૦૧૭માં લાખો રૂપિયાના ખર્ચે બોટાદના એકમાત્ર કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ૪૦૦ કિલોમીટર દુરથી નર્મદાનું પાણી લાવી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. નર્મદાના નીરના વધામણા કર્યા હતાં. સમગ્ર વાતાવરણ નર્મદે સર્વદેના નાદ સાથે ગુંજી ઉઠેયું હતું. બોટાદનું કૃષ્ણ સાગર તળાવ ભરતા લોકોમાં અનેરો આનંદ હતો. આજુબાજુના ૧૫ જેટલા ગામના ૪ હજારથી વધુ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે. હવે ખેડૂતોને રવી પાક માટે પાણી મળી રહેશે.
બોટાદના હાર્દ સમા કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા ખેડૂતો અને શહેરીજનોમાં આનંદ જોવા મળ્યો. કુષ્ણ સાગર તળાવમાં પાણી આવતા આજુબાજુના ૧૫ જેટલા ગામડાના ૪ હજારથી વધુ ખેડૂતોને સિચાઈના પાણીનો લાભ મળશે. હવે ખેડૂતોને રવી પાક માટે પાણી મળી રહેશે.
જોકે આ વર્ષે ઓછા વરસાદના કારણે દુષ્કાળ જેવી પરીસ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના પાકને પાણી ન મળતા કપાસ સુકાય ગયો છે. પાણી માટે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યા અને આવેદનપત્ર આપવામાં આવ્યા. ત્યારે બોટાદ કુષ્ણ સાગર તળાવમાં પણ સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તેવી માગ કરાઇ રહી હતી. મોટી સખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટર આવેદનપત્ર આપેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરેલ.
ખેડૂતોની માગને લઈને આખરે બોટાદ કુષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ સાગર તળાવમાં પાણી આવતા આજુબાજુના ૧૫ જેટલા ગામના ૪ હજાર જેટલા ખેડૂતોને ફાયદો થશે તેમના કુવાના તળ ઉંચા આવશે. તેમજ ખેડૂતો જે રવી પાક કરશે તેના માટે સિચાઈનું પાણી મળી રહેશે. ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ પાચ દિવસ સુધી કુષ્ણ સાગર તળાવમાં પાણી છોડાશે. હાલ તો પાણી છોડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.