નર્મદા પાણી વિવાદ બાદ મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવી ગઇ છે. નર્મદા પાણી મુદ્દે મધ્યપ્રદેશના નિવેદન બાદ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સીએમ રૂપાણી એ કહ્યું કે મધ્યપ્રદેશ નર્મદા પાણી મુદ્દે પર ગંદુ રાજકારણ ન કરે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મારુ માનવું છે કે લોકસભા ચૂંટણીમાં હારને કારણે નિરાશ કોંગ્રેસ અને તેની સરકાર બદ ઇરાદાથી આ પ્રકારના નિવેદનો આપી રહ્યી છે. કોંગ્રેસ હારને પચાવી શકી નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા દરવાજા ડેમ પૂરો કરવા મંજૂરી ન આપી, પાણી મુદ્દે રાજકારણ કરતી આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં વિજય રૂપએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મધ્યપ્રદેશ સરકારને માહિતીનો અભાવ છે. તે નર્મદા પાણી મુદ્દે કોઇ રાજકારણ ન ખેલે.
સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે 40 વર્ષથી ચારેય રાજ્યો સહકારથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીમાં સહકારથી ચાલી રહી છે. મધ્યપ્રદેશ સરકારના આવા નિવેદનો નિંદનીય છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સાથે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજ્સ્થાન અને મહારાષ્ટ્ર જોડાયેલું છે. સુપ્રીમ કોર્ટે પણ ચૂકાદો આપ્યો છે કે 2022 સુધી પાણીના વહેંચણીમાં કોઇ ફેરફાર ન થઇ શકે. તેના આધારે જ યોજનાઓ બની છે. નર્મદા ડેમનું 138 મીટર પાણી ભરાય તે આવશ્યક છે. સરદાર સરોવર બંધમાં વીજ ઉત્પાદનમાં 16 ટકા હિસ્સો ગુજરાતનો છે. માટે 138 મીટર હિસ્સો ભરવો જરૂરી છે. પૂરતું ટેસ્ટિંગ થાય તે જરૂરી છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વર્તવું જોઇએ. સુપ્રીમના ચૂકાદા મુજબ પાણીની વંહેચણી કરી છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીની વિધિવત દરખાસ્ત કરાઇ છે. ડેમ ભરાશે ત્યારે વધારાના આવરામાંથી પાણી અપાશે.
તેમણે કહ્યું કે ટ્રિબ્યુનલે 2024 સુધી કોઇ રાજ્ય તેમા ફેરફાર ન કરી શકે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી સુપ્રીમના આધારે બની છે. મધ્યપ્રદેશ સરકાર તેના પર રાજકારણ રમી રહી છે. ગુજરાતે ક્યારેય ટ્રિબ્યુનલ વિરુદ્ધ ગયું નથી, 2024 સુધી બધા રાજ્યો બંધાયેલા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ ગંદુ રાજકારણ કરી રહી છે.