નર્મદા નદીની વધતી જતી જળ સપાટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે સ્ટેટ ડિઝાસ્ટરની બેઠક યોજાઇ જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે રાજ્યમાં પ્રવર્તમાન આપદા અંગે માહિતી આપી હતી.
નર્મદામાં પાણી છોડતા 5000 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
ભરૂચ જિલ્લામાંથી સ્થળાંતરની કામગીરી ચાલુ
નર્મદા નદીની વધતી જતી જળ સપાટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે ગાંધીનગર ખાતે સ્ટેટ ડિઝાસ્ટરની બેઠક યોજાઇ છે. નર્મદા નદીની વધતી જતી સપાટીને લઇ કાંઠા વિસ્તારના ગામોની સલામતી મુદ્દે બેઠક યજાઇ. જેમાં મુખ્ય સચિવ, મહેસુલ અગ્ર સચિવ, મેરિટાઇમ બોર્ડના એમડી, વન વિભાગના અગ્ર સચિવ અને NDRFના અધિકારીઓ હાજર રહ્યા. બેઠક બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઇ છે. અને NDRF દ્વારા રેસ્ક્યૂની કામગીરી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજ્યમાં 120 ટકા વરસાદ નોંધાયો છે. અને આજથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
રાહત કમિશનર હર્ષદ પટેલની પત્રકાર પરિષદ શું હતા અગત્યના મુદ્દા?