ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કચ્છમાં સ્મૃતિ અને સમૃદ્ધિનો દિવસ છે. 4700 કરોડના કામો આજે ગુજરાતમાં થવાના છે.
મુખ્યમંત્રીનું મોટું નિવેદન
નર્મદા યોજનાને લઇ ટિપ્પણી
'યોજનાનો વિરોધ કરનારા અર્બન નક્સલવાદી'
પીએમ મોદીના ગુજરાત પ્રવાસના આજે બીજા અને છેલ્લા દિવસે કચ્છને મોટી ભેટ મળી છે. વડાપ્રધાને 4700 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યું હતું. જેમાં કેવડીયાથી કચ્છ પહોંચ્યા મા રેવાના નીર પહોંચે તે માટે PM મોદીના હસ્તે કચ્છ શાખા નહેરનું ઉદ્ઘાટન થયું આથી હવે કચ્છના તમામ ગામડાઓમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન થઈ શકશે. માતા આશાપૂરાના મઢના પુનઃનિર્માણ માટેના કાર્યનું ખાતમુહૂર્ત કરવાઆમાં આવ્યું તેમજ વીર બાળક સ્મારકનું ખાતમુહૂર્ત, સરહદ ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ પીએમ મોદીના હસ્તે થયું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આજે મન ખૂબ જ સારી ભાવનાઓથી ભરેલું છે. ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં સ્મારકનું લોકાર્પણ કચ્છની અને ગુજરાતની સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પસીનો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓ જોડાયેલા છે.
CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ભારોભાર વખાણ કર્યા હતા. અને નર્મદા યોજનો વિરોધ કરનારાઓને અર્બન નક્સલવાદી કહી સંબોધ્યા હતા. અને કહ્યું હતું કે 'આજે એ પણ યાદ કરવું પડે કે એવા કોણ લોકો હતા જેમણે 5 5 દાયકા સુધી કચ્છના લોકોને નર્મદાના પાણીથી વંચિત રાખ્યા હતા, કચ્છને તરસ્યું રાખ્યું હતું સૂકું ભઠ્ઠ રાખ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે વિરોધ કરવા વાળા અર્બન નક્સલવાદી કોણ હતા જેમણે સરાજાહેર ગુજરાતનો વિરોધ કર્યો ખાસ કરીને કચ્છનો વિરોધ કર્યો. એ અર્બલ નક્સલવાદીઓ કચ્છ અને ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના તમામ પેતરા કર્યા હતા. એ લોકોમાંનું એક નામ છે મેઘા પાટકર, આપણે જાણીએ છીએ કે આ લોકો કઈ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. કોણે તેમણે સાંસદની ચૂંટણી લડવાની ટિકિટ આપી હતી. ગુજરાતમાં લોકોને ભ્રમિત કરી નક્સલવાદ ફેલાવવાની આવા લોકોની પેરવી હતી. પરંતુ ગુજરાતની શાણી અને સમજુ પ્રજાએ તેમજ કચ્છની ખમીરવંતી પ્રજાએ એમના મનસૂબા પર પાણી ફેરવી દીધું. તેમના મનસૂબા ફાવવા દીધા નથી અને ફાવવા દેવાના પણ નથી'.
મેઘા પાટકરે નર્મદા યોજનાનો કર્યો હતો વિરોધ
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાઓ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. જેનો ઉલ્લેખ કરી આજે જ્યારે કચ્છના છેવાડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મેઘા પાટકરને અર્બન નક્સલવાદી કહી આકરા પ્રહાર કર્યા હતા.