નર્મદા જિલ્લાના એક શિક્ષકનું સપનું ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટમાં આકાર પામ્યું છે. આજે એજ પ્રોજેક્ટ આજે રાજ્ય સરકાર દ્વારા 60 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. રોપ-વે પ્રોજેકટ જે 1.25 km લાંબો બનશે. શું હશે સુવિધા કેવો હશે રોપવે?
નર્મદા ડેમની પાસે રોપ-વે બનશે
રૂ.60 કરોડના ખર્ચે રોપ-વે બનશે
સાતપુડા-વિધ્યાચલ પહાડી વચ્ચે રોપ-વે તૈયાર થશે
નર્મદા સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સાતપુડા ડુંગરથી વિંધ્યાચલ પહાડી વચ્ચે રોપ-વે તૈયાર થશે. આકાશી નજારો જોઈ શકાય તે માટે એક બાજુથી બીજી બાજુ રોપવેથી પ્રવાસીઓ નજારો માણી શકશે. આ રોપ-વે પ્રોજેક્ટમાં અંદાજીત 60 કરોડનો ખર્ચ હાલ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે.
ત્યારે આ બાબતની ચર્ચા એક મિટિંગમાં એક વર્ષ પહેલાં થઈ હતી. જે અંગેનો સર્વે પણ થયો હતો, પણ હજુ આ પ્રોજેક્ટ મંજૂરી માટે ફાઈલોમાં છે. પરંતુ હવે આ પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઇ છે. ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી 24 મહિનાઓમાં પૂર્ણ કરી કામગીરી પ્રવાસીઓને આ રોપ-વેમાં બેસવા મળશે. પરંતુ કેટલો જલ્દી શરૂ થાય એ જોવું રહ્યું.
શિક્ષક અને બે વિદ્યાર્થીનીઓએ તૈયાર કર્યો પ્રોજેક્ટ
રસપ્રદવાત એ છે કે આ જે પ્રોજેક્ટ હાલ સરકારે મુક્યો છે. એ 2014માં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાને વિચાર આવ્યો અને તેમણે તેમની બે વિદ્યાર્થીનીઓ ભૂમિકા વસાવા અને ઇકિત્સા વસાવાને સમજાવી એક પ્રોજેકટ તૈયાર થયો. જે તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો રાજ્ય કક્ષાએ પણ નિર્ણયોને ખૂબ ગમ્યો અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો હતો.
દિલ્હીના પ્રગતિ મેદાનમાં રાષ્ટ્રીય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નર્મદાના આ પ્રોજેકટે ધૂમ મચાવી. જોકે હવે સરકારને પણ આ વિચાર આવ્યો અને તેમણે આ રોપ-વે પ્રોજેક્ટ બનાવવાની દરખાસ્ત મૂકી ડિઝાઇન તૈયાર કરાવી છે. ત્યારે આ શિક્ષકને થયું કે તેમનું છ વર્ષ પહેલાં જોયેલું સ્વપ્ન પૂરું થશે. જેનો એમને અનેરો આનંદ છે.
કેવું હશે આ રોપ-વે (ઉડાન ખટોલા) ?
મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા (MDG) સિસ્ટમની રોપ-વે બનશે, જેમાં 5 ટાવર મુકાશે અને 2 સ્ટેશન ઉભા કરાશે. 8.35 મીટર ટાવરોની ઉંચાઈ રહેશે, 24 સેકન્ડનો કેબીનો વચ્ચે ઈન્ટરવલ, 6 મિનિટ પ્રતિ સેકન્ડની લાઈન સ્પીડ રહેશે. શરૂઆતમાં 12 કેબીનો પછી 22 કેબીનો કરવામાં આવશે. 10 લોકો એક કેબિનમાં બેસી શકશે. 4.36 મિનિટ વેન વે ટ્રીપને સમય લાગશે. શરૂઆતમાં 800 લોકો એક કલાકમાં અવરજવર કરી શકશે પછી ક્ષમતા વધારી કેબીનો વધારવામાં આવશે તો 1500 લોકોને લાભ મળશે.