વડોદરા / નર્મદા નદી બે કાંઠે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ દત્તક લીધેલું ગામ કરનાળી બેટમાં ફેરવાયું

Narmada river water Arun Jaitley Adopted karnali dabhoi vadodara

રાજ્ય સરકાર પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર સરદાર સરોવર ડેમને 138 મીટર ભરવાની તૈયારીમાં છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સ્વર્ગસ્થ અરૂણ જેટલીએ દત્તક લીધેલ ગામ કરનાળી બેટમાં ફેરવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ