રાજ્ય સરકાર પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર સરદાર સરોવર ડેમને 138 મીટર ભરવાની તૈયારીમાં છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં સ્વર્ગસ્થ અરૂણ જેટલીએ દત્તક લીધેલ ગામ કરનાળી બેટમાં ફેરવાયું છે.
સરદાર સરોવર ડેમને 138 મીટર ભરવાની તૈયારીમાં છે સરકાર
કરનાળી ગામ સ્વર્ગસ્થ અરૂણ જેટલીએ દત્તક લીધેલું છે
મોટા પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે
છેલ્લા કેટલાય દિવસથી નર્મદા ડેમમાંથી અવિરત પાણી નર્મદા નદીમાં જ છોડવાને લઈને નર્મદા નદી ગાંડીતૂર બની છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવા માટે હાલ નાવડીનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર ચાર ફૂટ જેટલું પાણી ફરી વળતા હાલ મુખ્ય માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.
ગતરોજ ધર્મના ડેમમાં છે 6 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાને લઈને તંત્ર દ્વારા નર્મદાના કાંઠા વિસ્તાર પર આવેલા ગામોને એલર્ટ કરી દેવાયા છે. ત્યારે છેલ્લા પાંચ દિવસથી ડભોઇ તાલુકાના કરનાળી ગામમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલતો રહ્યો છે જેને લઇ કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. એટલું જ નહીં આલ ગ્રામવાસીઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ગ્રામલોકો લઇ રહ્યા છે નાવડીનો સહારો
શાકભાજી લઇ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નાવડીના સહારે લેવા જવા પડવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ગ્રામ લોકોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા કોઈપણ એવું કામ કરવામાં નથી આવ્યું કે જેથી કરીને અમને કોઇ લાભ થાય. કારણ કે પાણીનો પ્રવાહ ઘટે છે અને વધે છે જેથી ગ્રામ લોકો પાણીમાં ઉતરતા પણ ગભરાય છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. અરૂણ જેટલીએ કરનાળી ગામને લીધું હતું દત્તક
મહત્વની વાત તો એ છે કે આ ગામ ભારતના પૂર્વ વિત મંત્રી સ્વર્ગસ્થ અરૂણ જેટલી દ્વારા આદર્શ ગામ દત્તક લેવામાં આવ્યું હતું. આજે જ્યારે એ નથી ત્યારે ગ્રામવાસીઓની કફોડી સ્થિતિ આવી ગઈ એવું હાલ દેખાઈ રહ્યું છે. હાલ તો ગ્રામવાસીઓ કાગડોળે પાણી ઊતરવાની રાહ જોઈ રહ્યા છે.