રાજપીપળાના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી, મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રહેશે
રાજપીપળામાં 4 દિવસનું લોકાડાઉન લગાવાશે
રાજપીપળાના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી
મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રહેશે
રાજપીપળામાં 4 દિવસનું લોકાડાઉન લગાવવાનો નિર્ણય કરાઈ ગયો છે. રાજપીપળાના વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી હતી. મંગળવારથી શુક્રવાર સુધી રાજપીપળાનું બજાર બંધ રહેશે. કોરોનાનુ સંક્રમણ નર્મદા જિલ્લામાં વધી રહ્યું હોવાથી તાત્કાલિક નિર્ણય લેવાયો છે. કોરોનાની ચેઇન તોડવા માટે 4 દિવસ બજાર બંધ રાખવાનો નિર્ણય થયો છે. 24 એપ્રિલની બેઠકમાં આવનારા દિવસો માટે ફરી નિર્ણય લેવામાં આવશે.
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લાને નવા 20 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા પ્રાપ્ત થશે. દર્દીઓને સારવાર અર્થે વડોદરા સુધી જવું પડશે નહીં. અગાઉ સ્થાનિક સાંસદ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની રાજપીપળામાં માગણી
નર્મદાના રાજપીપળામાં રોજના 25થી 30 કોરનાના કેસ સામે આવી રહ્યા છે. રાજપીપળામાં હાલ 146 જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધી 1 લાખ 24 હજાર ટેસ્ટ કરાયા છે. 24 હજાર 771 RT-PCR ટેસ્ટ પણ કરાયા છે. RT-PCR ટેસ્ટિંગ લેબ રાજપીપળામાં ન હોવાથી લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. RT-PCR ટેસ્ટ કરવા સેમ્પલ વડોદરા મોકલાય છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં લેબની મંજૂરી મળી પરંતુ હજુ કામગીરી શરૂ થઈ નથી. રાજપીપળામાં RT-PCR લેબ જલ્દી શરૂ કરવા માગ ઉઠી છે.